Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના રેસિડેન્શિયલ-કમ-કમર્શિયલ બિલ્ડિંગની છતનો ભાગ તૂટી પડ્યો

થાણેના રેસિડેન્શિયલ-કમ-કમર્શિયલ બિલ્ડિંગની છતનો ભાગ તૂટી પડ્યો

Published : 25 June, 2025 08:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં તો બિલ્ડિંગને ખાલી કરીને કાટમાળ હટાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેના ઉઠળસર નાકા પાસે આવેલી આનંદધામ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના સાત માળના બિલ્ડિંગ પર આવેલી ટેરેસનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. મંગળવારે પરોઢિયે સાડાપાંચ વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. થાણેના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘આ બિલ્ડિંગ રેસિડેન્શિયલ-કમ-કમર્શિયલ છે. એમાં ૨૮ ફ્લૅટ, બે ઑફિસ અને છ દુકાનો છે. ૨૫ વર્ષ જૂનું આ બિલ્ડિંગ જોખમી છે જેમાં તાત્કાલિક સમારકામની જરૂર છે, નહીંતર બિલ્ડિંગ ખાલી કરાવવાની ફરજ પડી શકે છે. હજી પણ ટેરેસનો અમુક ભાગ જોખમી રીતે લટકે છે. હાલમાં તો બિલ્ડિંગને ખાલી કરીને કાટમાળ હટાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2025 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK