Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાર્યકરોની ઇચ્છા છે કે બન્ને NCP ફરી સાથે આવે

કાર્યકરોની ઇચ્છા છે કે બન્ને NCP ફરી સાથે આવે

Published : 14 December, 2024 03:48 PM | Modified : 14 December, 2024 04:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિત પવારનાં મમ્મી સુનંદા પવારે કહ્યું હતું કે ‘કાર્યકરોની ઇચ્છા છે કે બન્ને NCP ફરી એકસાથે આવે. કાર્યકરોનું સન્માન કરવું જોઈએ. આ મારો વ્યક્તિગત મત છે. આ બાબતે આખરી નિર્ણય પવારસાહેબ અને અજિતદાદા લેશે.

સુનંદા પવાર રાજેન્દ્ર પવારનાં પત્ની અને રોહિત પવાર

સુનંદા પવાર રાજેન્દ્ર પવારનાં પત્ની અને રોહિત પવાર


નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના સ્થાપક શરદ પવારનો ગુરુવારે ૮૪મી વર્ષગાંઠ હતી ત્યારે તેમના ભત્રીજા અજિત પવારે પરિવાર સાથે શરદ પવારના ઘરે જઈને શુભેચ્છા આપી હતી. આથી શું કાકા અને ભત્રીજા ફરી સાથે આવવાના છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. એવામાં ગઈ કાલે રોહિત પવારનાં મમ્મી સુનંદા પવારે કહ્યું હતું કે ‘કાર્યકરોની ઇચ્છા છે કે બન્ને NCP ફરી એકસાથે આવે. કાર્યકરોનું સન્માન કરવું જોઈએ. આ મારો વ્યક્તિગત મત છે. આ બાબતે આખરી નિર્ણય પવારસાહેબ અને અજિતદાદા લેશે. બન્ને પેઢી વર્ષોથી એકસાથે રહી છે. ગઈ કાલે શરદ પવારસાહેબનો જન્મદિવસ હતો. આવા સમયે પારિવારિક મેળમિલાપ કરવામાં કંઈ ખોટું નથી. આપણે વિખેરાઈ જવાને બદલે એકસાથે આવવું જોઈએ.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

14 December, 2024 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK