Mumbai state plans to give jobs: કર્મચારીઓના ઉત્તરાધિકારીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે જે નક્સલવાદીઓ, આતંકવાદીઓ, લૂંટારાઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયા છે.
મંત્રાલય
Mumbai state plans to give jobs: ઉચ્ચ તેમજ ટેક્નિકલ શિક્ષણ વિભાગે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના તે અધિકારીઓ તેમજ કર્મચારીઓના ઉત્તરાધિકારીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે જે નક્સલવાદીઓ, આતંકવાદીઓ, લૂંટારાઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા અથવા અસ્થાયી રૂપે અપંગ થઈને સરકારી સેવામાં અનુકંપાને આધારે સેવામાં આવ્યા હોય.
રાજ્યમાં તે કર્મચારીઓના ઉત્તરાધિકારીઓને અનુકંપાને આધારે સામેલ કરવાની નીતિ છે જેમનું મૃત્યુ સરકારી સેવામાં કામ કરતી વખતે થઈ ગયું હોય. સામાન્ય નીતિ એ છે કે ગ્રુપ સી અને ગ્રુપ ડી કેડરમાં પ્રત્યક્ષ સેવા કોટામાં વાર્ષિક ખાલી જગ્યાઓના 20 ટકા અનુકંપાના આધારે ભરવામાં આવવી જોઈએ. 1 જાન્યુઆરી 2020થી આ નીતિ રાજ્ય સરકારની સેવાના અધિકારીઓ પર પણ લાગુ પાડવામાં આવી છે.
ADVERTISEMENT
Mumbai state plans to give jobs: સામાન્ય પ્રશાસન વિભાગે આ સંબંધે સમયાંતરે આદેશ જાહેર કર્યા છે. અનુકંપા નિયુક્તિની આ સામાન્ય નીતિ માત્ર ઉચ્ચ શિક્ષણના અધિકારીઓ અને કર્મચારીઓ પર લાગુ પડે છે, એવું નથી પણ તે બિન-કૃષિ વિશ્વવિદ્યાલયો, સરકારી, ખાનગી સહાયતા મેળવનાર કૉલેજ, ટેક્નિકલ શિક્ષણ નિદેશાલય, ડૉ. બાબાસાહેબ આંબેડકર ટેક્નિકલ શિક્ષણ વિશ્વવિદ્યાલય-લોનેરે, સીઓઈપી વિશ્વવિદ્યાલય પર પણ લાગુ પડે છે. પ્રૌદ્યોહિકી વિભાગ, લક્ષ્મીનારાયણ, અભિનવ વિશ્વવિદ્યાલય, યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર ઓપન યૂનિવર્સિટી, સાથે જ સહાયતા પ્રાપ્ત ડીમ્ડ વિશ્વવિદ્યાલયોમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રુપ એથી ગ્રુપ ડી પદો માટે એક અલગ અનુકંપા નીતિની જાહેરાત કરી છે.
કોને થશે ફાયદો?
Mumbai state plans to give jobs: નક્સલવાદી, આતંકવાદી, અસામાજિક તત્વો, લૂંટારાઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં માર્યા ગયેલા અથવા સ્થાયી રીતે અપંગ થયેલા અધિકારીઓ અને કર્મચારીઓના ઉત્તરાધિકારીઓને અનુકંપાના આધારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં નિયુક્તિઓ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. એવા અધિકારી, કર્મચારી જે સ્થાયી રૂપે સસ્પેન્ડેડ છે પણ પોતે સેવા છોડવાને લેખિત પરવાનગી આપે છે, તેમના ઉત્તરાધિકારીઓને અનુકંપા નિયુક્તિનો લાભ મળશે.
નોંધનીય છે કે યુકો બેંકમાં વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. આ સાથે જ આ માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થવામાં છે. રસ ધરાવતા ઉમેદવારો UCO બેંકની અધિકૃત વેબસાઇટ ucobank.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. યુકો બેંકમાં વિશેષજ્ઞ અધિકારીની જગ્યાઓ પર ભરતી માટેની નોંધણી પ્રક્રિયા 05 ડિસેમ્બર, 2023ના રોજ શરૂ થઈ ગઈ હતી. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 ડિસેમ્બર, 2023 જણાવવામાં આવી છે.
યુકો બેંકમાં આ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે
યુકો બેંક દ્વારા શરૂ કરાયેલી ભરતીની પ્રક્રિયા (UCO Bank Recruitment 2023) હેઠળ કુલ 142 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ નિષ્ણાત અધિકારીની કુલ 127 જગ્યાઓ તેમ જ રિસ્ક મેનેજમેન્ટમાં નિષ્ણાત અધિકારી માટે કુલ 15 જગ્યાઓ ભરવામાં આવનાર છે.
આ પોસ્ટ માટે અરજી કરવાની લાયકાત શું હોવી જોઈએ?
ચીફ મેનેજરના પદ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે BE, B.Tech, B.Sc, M.Tech અથવા ME જેવી ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે જ આ ભરતી માટેના ઉમેદવારોને નિયત ક્ષેત્રમાં 8 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે. આ પોસ્ટ અને અન્ય માટે શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર સૂચના તપાસવાની સલાહ આપવામાં આવી છે.
