Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ પરના હુમલા સાથે કોઈ લેવાદેવા ન હોવાનું રટણ કર્યું તહવ્વુર રાણાએ

મુંબઈ પરના હુમલા સાથે કોઈ લેવાદેવા ન હોવાનું રટણ કર્યું તહવ્વુર રાણાએ

Published : 27 April, 2025 11:23 AM | Modified : 28 April, 2025 06:55 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬/૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડની મુંબઈ પોલીસે દિલ્હી જઈને ૮ કલાક પૂછપરછ કરી

તહવ્વુર રાણા

તહવ્વુર રાણા


૨૦૦૮ની ૨૬ નવેમ્બરે પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં કરેલા ભારત પરના સૌથી મોટા આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની મુંબઈ પોલીસે દિલ્હીની તિહાર જેલમાં શુક્રવારે ૮ કલાક પૂછપરછ કરી હતી. જોકે અમેરિકાથી ભારત લાવવામાં આવેલા તહવ્વુર રાણાએ હુમલા વિશે કોઈ સીધો જવાબ આપવાને બદલે પોતાનો ૨૬/૧૧ના હુમલા સાથે કોઈ સંબંધ જ ન હોવાનું સતત રટણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.


મુંબઈ પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર (ક્રાઇમ) દત્તા નલાવડેની આગેવાનીની ટીમે તિહાર જેલમાં જઈને પાકિસ્તાની મૂળના કૅનેડિયન રહેવાસી તહવ્વુર રાણાની પૂછપરછ કરી હતી. 
તહવ્વુર રાણા ભલે ૨૬/૧૧ના આતંકવાદી હુમલા સાથે સંબંધ ન હોવાનું કહી રહ્યો હોય, પણ અમેરિકાના આરોપી ડેવિડ કોલમૅને પોલીસને આપેલા નિવેદનમાં રાણા હુમલાનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહ્યું હતું.



આ નિવેદનના આધારે જ અમેરિકાની પોલીસે તહવ્વુર રાણાની ધરપકડ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2025 06:55 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK