મુંબઈની એક્સચેન્જ બિલ્ડિંગમાં આગ
તસવીરઃ સુરેશ કાર્કેરા
મુંબઈના બાલાર્ડ પિયરમાં આવેલ એક્સચેન્જ બિલ્ડિંગમાં આગ ફાટી નિકળી છે. આ બિલ્ડીંગમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ઓફિસ આવેલી છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચવા માટે રવાના થઈ ગઈ છે. આ ઓફસમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલની તપાસ ચાલી રહી છે.
Mumbai: Fire breaks out in Exchange Building at Ballard Estate; fire tenders present at the spot pic.twitter.com/odzNk0Bfpd
— ANI (@ANI) September 21, 2020
ADVERTISEMENT
બાલાર્ડ પિયરમાં આવેલ એક્સચેન્જ બિલ્ડિંગમાં આવેલ એનસીબી અધિકારીઓએ રિયા ચક્રવર્તીથી માંડીને તમામ ડ્રગ પેડલર્સની પૂછપરછ કરી હતી. ધરપકડ કરાયા બાદ રિયાને એક રાત માટે એનસીબી ઓફિસના લોલકઅપમાં પસાર કરી હતી.
પ્રાપ્ય જાણકારી પ્રમાણે એક્સચેન્જ બિલ્ડિંગના ત્રીજા માળ પર એનસીબીની ઓફિસ આવેલી છે. જ્યારે બીજા માળ પર આગ ફાટી નિકળી છે. ઘટનાસ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારીઓ આગ ઓલવવાની કામગીરીમાં જોડાઈ ગયા છે. હજી સુધી આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા નથી મળી શક્યું. મુંબઈ પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે.