Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ એરપોર્ટની મુસાફરોને સલાહ: ‘ઓછામાં ઓછા 3.5 કલાક અગાઉ પહોંચો`

મુંબઈ એરપોર્ટની મુસાફરોને સલાહ: ‘ઓછામાં ઓછા 3.5 કલાક અગાઉ પહોંચો`

09 December, 2022 11:12 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્થાનિક મુસાફરોને તેમના બોર્ડિંગ સમયના ઓછામાં ઓછા 2.5 કલાક પહેલાં પહોંચવાની સલાહ આપવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


તહેવારોની મોસમ નજીક છે અને મુંબઈવાસીઓ પહેલેથી જ મુસાફરી કરવાના મૂડમાં છે. તેવામાં છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે (Chhatrapati Shivaji Maharaj Airport) પેસેન્જર એડવાઈઝરી જાહેર કરી છે. એરપોર્ટ સત્તાવાળાઓએ આંતરરાષ્ટ્રીય સ્થળોએ મુસાફરી કરતાં તમામ મુસાફરોને તેમના બોર્ડિંગ સમયના ઓછામાં ઓછા 3.5 કલાક પહેલાં પહોંચવાની વિનંતી કરી છે, જ્યારે સ્થાનિક મુસાફરોને તેમના બોર્ડિંગ સમયના ઓછામાં ઓછા 2.5 કલાક પહેલાં પહોંચવાની સલાહ આપવામાં આવી છે.

મુંબઈ એરપોર્ટ તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે “છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તહેવારોની સિઝનની શરૂઆત થતાં જ મુસાફરોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે અને આગામી અઠવાડિયામાં સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. અમે અમારા તમામ મુસાફરોને વિનંતી કરીએ છીએ, તેઓ વધારાનો સમય ફાળવો.”




આ પણ વાંચો: મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ વકર્યો: કોલ્હાપુરમાં આજથી કલમ ૧૪૪ લાગુ


તેમાં વધુમાં ઉમેર્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા મુસાફરોને તેમની નિર્ધારિત ફ્લાઇટના ઓછામાં ઓછા 3.5 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે. સ્થાનિક ફ્લાઇટ્સ લેતા મુસાફરોને તેમના પ્રસ્થાનના ઓછામાં ઓછા 2.5 કલાક પહેલાં નિર્ધારિત ટર્મિનલ પર પહોંચવાની વિનંતી કરવામાં આવે છે."

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2022 11:12 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK