Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહાશિવરાત્રિ ક્યારે?

મહાશિવરાત્રિ ક્યારે?

Published : 18 February, 2025 08:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંચાંગમાં એ ૨૬ ફેબ્રુઆરીની સવારે શરૂ થઈને બીજા દિવસે સવારે પૂરી થતી હોવાથી ક્યારે મનાવવી એને લઈને કન્ફ્યુઝન ઊભું થયું છે

મહાશિવરાત્રિ ક્યારે?

મહાશિવરાત્રિ ક્યારે?


મહાશિવરાત્રિનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ છે. હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાની ચૌદશ એટલે કે મહા વદ-૧૪ની તિથિએ મહાશિવરાત્રિ આવે છે. આ વર્ષે પંચાંગમાં મહાશિવરાત્રિ ૨૬ ફેબ્રુઆરીની સવારના ૧૧.૦૮ વાગ્યાથી શરૂ થાય છે અને એનું સમાપન ૨૭ ફેબ્રુઆરીની સવારના ૮.૫૪ વાગ્યે થાય છે. આથી મહાશિવરાત્રિ ૨૬ ફેબ્રુઆરીએ મનાવાશે કે ૨૭ ફેબ્રુઆરીએ એનું કન્ફ્યુઝન ઊભું થયું છે.
ભાગવત કથાકાર રસિકભાઈ રાજ્યગુરુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાશિવરાત્રિને શિવની મહાન રાતના રૂપમાં મનાવવામાં આવે છે. શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે આ રાત્રે દેવી પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા. પંચાંગમાં ૨૬ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની શરૂઆત સવારના ૧૧.૦૮ વાગ્યાથી શરૂ થાય છે અને બીજા દિવસે સવારના ૮.૫૪ વાગ્યે પૂરી થાય છે. મહાશિવરાત્રિએ રાતના સમયે શિવની આરાધના કરવામાં આવે છે. આ પર્વમાં રાતનો જ મહિમા છે એટલે આ વર્ષની મહાશિવરાત્રિ ૨૬ ફેબ્રુઆરીની રાત્રે જ ઊજવવામાં આવશે. શિવની આરાધના માટે ૧૪ રાત્રિ અને એક મહારાત્રિ એટલે કે મહાશિવરાત્રિ ઉત્તમ ગણવામાં આવી છે. આ પર્વમાં દિવસનું કોઈ મહત્ત્વ નથી.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

18 February, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK