Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરારના રિસૉર્ટમાં થયેલા ઝઘડામાં મારામારી થયા બાદ આવેલા હાર્ટ-અટૅકમાં શિવસેનાના નેતાનો દીકરો ગુજરી ગયો

વિરારના રિસૉર્ટમાં થયેલા ઝઘડામાં મારામારી થયા બાદ આવેલા હાર્ટ-અટૅકમાં શિવસેનાના નેતાનો દીકરો ગુજરી ગયો

Published : 30 July, 2024 12:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેવન સી બીચ રિસૉર્ટ ગેરકાયદે હોવાથી મુખ્ય પ્રધાનના આદેશ બાદ ગઈ કાલે એના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું

વિરારના ગેરકાયદે રિસૉર્ટ પર શિવસૈનિકના મૃત્યુ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી

વિરારના ગેરકાયદે રિસૉર્ટ પર શિવસૈનિકના મૃત્યુ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી


વિરાર-વેસ્ટના નવાપુરમાં આવેલા સેવન સી બીચ રિસૉર્ટમાં રવિવારે સાંજે ટોળાની મારપીટ વખતે આવેલા હાર્ટ-અટૅકમાં શિવસેનાના મિલિંદ મોરેનું મૃત્યુ થતાં એના તીવ્ર પડઘા પડી રહ્યા છે. આ ઘટના બાદ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ ગેરકાયદે રિસૉર્ટને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાનના આદેશ બાદ વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન અને મહેસૂલે વિભાગે તરત જ સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કર્યું હતું તેમ જ આ ટોળા સામે પોલીસે સદોષ મનુષ્ય વધનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ગઈ કાલે મુખ્ય પ્રધાને થાણેમાં મિલિંદ મોરેના નિવાસસ્થાને જઈને પાર્થિવ દેહનાં દર્શન કર્યાં હતાં અને ગેરકાયદે રિસૉર્ટ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.




મિલિંદ મોરે


શિવસેનાના થાણેના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ રઘુનાથ મોરેના દીકરા મિલિંદ મોરે અને તેમનો પરિવાર વિરારના નવાપુરના સેવન સી બીચ રિસૉર્ટમાં ફરવા માટે આવ્યા હતા ત્યારે વાહનની ટક્કર લાગતાં રિક્ષાચાલક સાથે મિલિંદની બોલાચાલી થઈ હતી. એ સમયે રિક્ષાચાલકે ટોળું ભેગું કરીને મિલિંદને માર માર્યો હતો જેને કારણે તેને હાર્ટ-અટૅક આવ્યો અને ઘટનાસ્થળ પર જ તે મૃત્યુ પામ્યો હતો. ત્યાર બાદ આ ઘટનાના તીવ્ર પડઘા પડતાં સેવન સી બીચ રિસૉર્ટ ગેરકાયદે હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ગઈ કાલે રિસૉર્ટમાં જેટલું ગેરકાયદે કામ હતું એ તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી વખતે અડચણ નિર્માણ ન થાય એના માટે મોટા પ્રમાણમાં પોલીસ-બંદોબસ્ત રાખવામાં આ‍વ્યો હતો.


બોલાચાલી બાદ મિલિંદ મોરેને હાર્ટ-અટૅક આવ્યો એ કૅમેરામાં કેદ થયું હતું

૧૮ જણ સામે ગુનો નોંધાયો

આ કેસમાં અર્નાળા સાગરી પોલીસ દ્વારા ૧૮ લોકો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. ૧૫થી ૨૦ લોકોએ મિલિંદ મોરે અને તેના સંબંધીઓને ઢોરમાર માર્યો હતો. અર્નાળા સાગરી પોલીસે અજાણ્યા રિક્ષાચાલક સહિત જે ૧૮ લોકો સામે ગુનો નોંધ્યો છે એમાંથી ગઈ કાલ રાત સુધીમાં ૧૧ જણની ધરપકડ કરવામાં આવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK