Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કુછ તો ગડબડ હૈ: ઉદ્ધવ ઠાકરે વિદેશ ગયા, પાછળથી એકનાથ શિંદેને મળવા પહોંચ્યા શરદ પવાર

કુછ તો ગડબડ હૈ: ઉદ્ધવ ઠાકરે વિદેશ ગયા, પાછળથી એકનાથ શિંદેને મળવા પહોંચ્યા શરદ પવાર

01 June, 2023 09:48 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એનસીપી પ્રમુખ શરદ પવાર સીએમ એકનાથ શિંદેને મળવા વર્ષા બંગલે પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે વિદેશમાં છે, આ દરમિયાન શરદ પવાર મુખ્યપ્રધાનને મળવા પહોંચ્યા છે

તસવીર સૌજન્ય: ટ્વિટર

તસવીર સૌજન્ય: ટ્વિટર


એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) સીએમ એકનાથ શિંદે (Eknath Shinde)ને મળવા વર્ષા બંગલે પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે વિદેશમાં છે, આ દરમિયાન શરદ પવાર મુખ્યપ્રધાનને મળવા પહોંચ્યા છે. બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી મુલાકાત ચાલી હતી. આ બેઠકના વિષય વિશે કોઈ માહિતી બહાર આવી નથી, પરંતુ આ બેઠકે ચોક્કસપણે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. `વર્ષા` એ મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના રાજકારણમાં મોટી ઘટનાઓ બનવાની આગાહી કરવામાં આવી રહી હતી. રાજ્યમાં સત્તા સંઘર્ષને લઈને સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના ચુકાદા બાદ પડદા પાછળની ગતિવિધિઓની ચર્ચા છે. આજે શરદ પવારે વર્ષા બંગલામાં પ્રવેશ કરતાં અનેક લોકોની આંખ આ બેઠક પર તોળાઈ રહી હતી. સૂત્રોએ માહિતી આપી હતી કે શરદ પવાર રાજ્યના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગ શોધવા માટે મુખ્યપ્રધાનને મળ્યા છે. એવું કહેવાય છે કે શરદ પવાર અન્ય મુદ્દાઓની સાથે ખેડૂતોના મુદ્દા માટે પણ મળ્યા હશે. ટૂંક સમયમાં મુખ્યપ્રધાન શિંદે અને શરદ પવારની પ્રેસ કોન્ફરન્સ યોજાય તેવી શક્યતા છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને શરદ પવારની મુલાકાતને લઈને ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ઘટનાઓને અનુલક્ષીને આ ચર્ચા શરૂ થઈ છે.



આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર મહિલાએ બેગમાં બોમ્બ હોવાનો દાવો કરતાં મચી ગઈ ચકચાર


આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

છેલ્લા કેટલાક દિવસોથી મહાવિકાસ અઘાડીમાં સીટ ફાળવણીના મુદ્દે મતભેદો સામે આવ્યા છે. ED અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા NCPના મહત્ત્વના નેતાઓને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. એવી ચર્ચા છે કે શિવસેના ભાજપ સાથે ગઠબંધનમાં શિંદે જૂથને ગૌણ ગણાવી રહી છે. સાંસદ ગજાનન કીર્તિકરે આવું સૂચક નિવેદન કર્યું હતું. તો ભાજપ શિંદે જૂથના સાંસદો અને ધારાસભ્યોના મતવિસ્તાર પર ફોકસ કરી રહ્યું છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે થાણે લોકસભા મતવિસ્તાર પર ભાજપ તરફથી દાવો કરે તેવી પણ વકી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2023 09:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK