Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાન પરિષદની પાંચ બેઠક માટે ૨૭ માર્ચે યોજાશે ચૂંટણી

વિધાન પરિષદની પાંચ બેઠક માટે ૨૭ માર્ચે યોજાશે ચૂંટણી

Published : 04 March, 2025 12:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી રાજ ઠાકરેની પાર્ટીને એક બેઠક ફાળવે છે કે કેમ એના પર સૌની નજર રહેશે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ખાલી પડેલી પાંચ બેઠક માટે ગઈ કાલે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ગયા વર્ષે યોજાયેલી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વિવિધ પક્ષોના વિધાન પરિષદના સભ્યો ચૂંટાઈ આવ્યા હતા એટલે પાંચ બેઠક ખાલી છે એ માટે ૨૭ માર્ચે ચૂંટણી યોજવામાં આવશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી રાજ ઠાકરેની પાર્ટીને એક બેઠક ફાળવે છે કે કેમ એના પર સૌની નજર રહેશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દટકે, ગોપીચંદ પડળકર અને રમેશ કરાડ; શિવસેનાના આમશા પાડવી અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના રાજેશ વિટેકર વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આથી વિધાન પરિષદની આ પાંચ બેઠક ખાલી પડી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2025 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK