Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં પણ `લવ જેહાદ` સામે કાયદો આવશે, સીએમ ફડણવીસ દ્વારા સમિતિ બનાવવાની જાહેરાત

મહારાષ્ટ્રમાં પણ `લવ જેહાદ` સામે કાયદો આવશે, સીએમ ફડણવીસ દ્વારા સમિતિ બનાવવાની જાહેરાત

Published : 15 February, 2025 02:47 PM | Modified : 16 February, 2025 07:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra law against Love Jihad: ભારતના કેટલાક રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા ઘડ્યા છે. તે મુજબ, સરકાર મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરવા અને લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા માટે એક ખાસ સમિતિ બનાવવાનું વિચારી રહી હતી.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)


કી હાઇલાઇટ્સ

  1. રાજ્યના પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતા હેઠળ સાત સભ્યોની સમિતિની રચના
  2. ઉત્તર પ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યોમાં આ પ્રકારનો કાયદો પહેલાથી જ અમલમાં
  3. વિરોધી પક્ષના નેતાઓએ સરકાર પર ટીકા કરી

દેશમાં ઘણા સમયથી લવ જેહાદ આ મુદ્દાએ સંસદ પણ ગજાવ્યું છે. લવ જેહાદ અને બળજબરીથી થાત ધર્માંતરણને રોકવા લવ જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે રાજ્યની સરકાર કડક વલણ અપનાવી રહી છે. આ મામલે હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ કાયદો બનાવવા માટે સમિતિ નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે, સરકારના મિત્ર પક્ષો આ અંગે તેમની પ્રશંસા કરી રહ્યું છે, તો વિરોધી પક્ષના નેતાઓએ સરકાર પર ટીકા કરી છે.


મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે લવ જેહાદના કેસોમાં કાર્યવાહી કરવા માટે રાજ્યના પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતા હેઠળ સાત સભ્યોની સમિતિની રચના કરી છે. રાજ્યની મહાયુતિ સરકારે આ મામલે નિર્ણય લીધો છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ પોલીસ મહાનિર્દેશકના નેતૃત્વ હેઠળ વિવિધ વિભાગોમાંથી છ સભ્યો સમિતિમાં હશે. આ સમિતિમાં મહિલા અને બાળ વિકાસ, લઘુમતી વિકાસ, કાયદો અને ન્યાય, સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગોમાંથી એક-એક સભ્ય અને ગૃહ વિભાગમાંથી બે સભ્યો હશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં જ બળજબરીથી ધર્મ પરિવર્તન, ખાસ કરીને આંતરધાર્મિક લગ્નો (લવ જેહાદ) દ્વારા થતા ધર્માંતરણને રોકવા માટે ટૂંક સમયમાં કાયદો ઘડવાનું વચન આપ્યું હતું. ઉત્તર પ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યોમાં આ પ્રકારનો કાયદો પહેલાથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે.



રાજ્યના વિવિધ સંગઠનો અને કેટલાક નાગરિકોએ લવ જેહાદ અને છેતરપિંડી અથવા બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે કાયદા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારતના કેટલાક રાજ્યોએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા ઘડ્યા છે. તે મુજબ, સરકાર મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરવા અને લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા માટે એક ખાસ સમિતિ બનાવવાનું વિચારી રહી હતી. પોલીસ મહાનિર્દેશકની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે, એમ સરકારના નિર્ણયમાં જણાવાયું છે. સરકારના નિર્ણય મુજબ સમિતિની કાર્યપદ્ધતિ મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરવાની અને લવ જેહાદ અને છેતરપિંડી અથવા બળજબરીથી ધર્માંતરણ અંગે મળેલી ફરિયાદોના ઉકેલો સૂચવવાની, કાનૂની બાબતોની તપાસ કરવાની અને અન્ય રાજ્યોમાં પ્રવર્તમાન કાયદાઓનો અભ્યાસ કરવાની અને કાયદા અનુસાર ભલામણો કરવાની રહેશે.


મહાયુતિ સરકારના આ નિર્ણય સામે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય રઈસ શેખે વિરોધ કર્યો છે. રાજ્યમાં લવ જેહાદના કેટલા કેસ બન્યા છે તેનો કોઈ ચોક્કસ આંકડા રાજ્ય સરકાર પાસે નથી. આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવા માટે તેમાં જેહાદ નામ ઉમેરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા, સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં લવ જેહાદના એક લાખ કેસ છે. જોકે, કોઈપણ કિસ્સામાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી. આ દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા સામે આવ્યા નથી. હું આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2025 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK