૨૬ માર્ચે રાજસ્થાનના પાલી સંઘમાં કાળધર્મ પામ્યાં છે.
પૂ. ભાવનાજી મ.સા.
માટુંગા સંઘના શ્રાવકવર્ય જયંતીલાલ કસ્તુરચંદ મશ્કરિયાએ ૧૯૭૩માં ધાર મુકામે પૂ. ચંપાલાલજી મ.સા.ના હસ્તે પટોધર શિષ્યરૂપે જૈન દીક્ષા અંગીકાર કરી હતી. ત્યાર બાદ ૧૯૮૧માં રાજસ્થાનના બ્યાવર ખાતે તેમનાં ધર્મપત્ની લાભુબહેન અને પુત્રી ભાવનાબહેને ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી. જયંતીલાલજી મ.સા. મહાત્માજીના નામથી સુપ્રસિદ્ધ થયા હતા. તેમનાં સંસારી પત્ની અને બાદમાં સાધ્વી બનેલાં પૂ. ભાવનાજી મ.સા. ૨૬ માર્ચે રાજસ્થાનના પાલી સંઘમાં કાળધર્મ પામ્યાં છે. પૂ. મહાત્માજી મ.સા.નાં સંસારી બહેન, ભાણેજી સહિત વીસથી વધુ દીક્ષા પરિવારમાં થઈ છે. દિલ્હીમાં પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)