Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈ ઍરપોર્ટને ખેડૂતનેતા ડી. બી. પાટીલનું નામ અપાય એ માટેની કારરૅલીમાં સેંકડો લોકો જોડાયા

નવી મુંબઈ ઍરપોર્ટને ખેડૂતનેતા ડી. બી. પાટીલનું નામ અપાય એ માટેની કારરૅલીમાં સેંકડો લોકો જોડાયા

Published : 15 September, 2025 09:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના નેતા અને ભિવંડીના સંસદસભ્ય સુરેશ મ્હાત્રેએ રૅલીનું નેતૃત્વ કર્યું હતું

ભિવંડીમાં કારરૅલીનું આયોજન કરવામાં આવ્યું

ભિવંડીમાં કારરૅલીનું આયોજન કરવામાં આવ્યું


નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટને ખેડૂતનેતા ડી. બી. પાટીલનું નામ અપાય એવી માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ડી. બી. પાટીલે નવી મુંબઈ ઍરપોર્ટ પ્રોજેક્ટના અસરગ્રસ્તો અને ખેડૂતોના હક માટે મોટી લડત આપી હતી. તેથી તેમની યાદમાં નવી મુંબઈ ઍરપોર્ટનું નામ ડી. બી. પાટીલ રાખવાની માગણી સાથે રવિવારે ભિવંડીમાં કારરૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP)ના નેતા અને ભિવંડીના સંસદસભ્ય સુરેશ મ્હાત્રેએ રૅલીનું નેતૃત્વ કર્યું હતું. આગરી-કોળી સમાજના લોકોની માગણી મુજબ રાજ્ય સરકારે નવી મુંબઈ ઍરપોર્ટનું નામ ડી. બી. પાટીલ રાખવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે હજી કોઈ નિર્ણય લીધો ન હોવાથી રૅલી કાઢીને સરકાર પર દબાણ કરવામાં આવ્યું હતું. જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઍરપોર્ટના ઉદ્ઘાટનપ્રસંગે વિઘ્ન નાખવાની ચીમકી સુરેશ મ્હાત્રેએ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2025 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK