Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગ્રામપંચાયતથી લઈને મહાનગરપાલિકાઓની વહેલી તકે ચૂંટણી કરો : અજિત પવાર

ગ્રામપંચાયતથી લઈને મહાનગરપાલિકાઓની વહેલી તકે ચૂંટણી કરો : અજિત પવાર

18 March, 2023 09:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં બીએમસીમાં લોકપ્રતિનિધિઓ (નગરસેવકો) નથી અને એનો કારભાર ઍડ્મિનિસ્ટ્રેટર ચલાવી રહ્યા છે

અજિત પવાર

અજિત પવાર


મુંબઈ : વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અજિત પવારે ગઈ કાલે હાઉસમાં કહ્યું હતું કે છેલ્લાં અઢી વર્ષથી બીએમસીનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને હાલમાં ઍડ્મિનિટ્રેટર દ્વારા કામકાજ ચલાવાઈ રહ્યું છે. વળી તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે બીએમસી અને સ્વાયત્ત સંસ્થાનાં નાણાંનો ઉપયોગ લોકોના કામ માટે ન કરતાં મુખ્ય પ્રધાનની જાહેરાત કરવા પાછળ થઈ રહ્યો છે જે યોગ્ય નથી એટલે બીએમસી સહિત અન્ય બધી સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી વહેલી તકે કરવામાં આવે.

હાલમાં બીએમસીમાં લોકપ્રતિનિધિઓ (નગરસેવકો) નથી અને એનો કારભાર ઍડ્મિનિસ્ટ્રેટર ચલાવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે એકનાથ શિંદેના વડપણ હેઠળની સરકારને ચૂંટણી કરાવવામાં કોઈ રસ જ નથી. જો નગરસેવકો, લોકપ્રતિનિધિઓ ન હોય તો સામાન્ય રીતે મોટા પ્રોજેક્ટ હાથ ધરાતા નથી. એમ છતાં ઍડ્મિનિસ્ટ્રેટર હેઠળ જ મુંબઈના ૪૦૦ કિલોમીટર લાંબા રસ્તાનું કૉન્ક્રીટાઇઝેશન કરવાનો અને ૭,૧૦૦ કરોડના ખર્ચે મુંબઈનું સુશોભીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી બાજુ માહિમ કિલ્લાથી બાંદરા સુધીના સાઇકલ પ્રોજેક્ટને અટકાવી દેવાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2023 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK