Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોશ્યલ મીડિયા પર આક્રોશભરી લાગણીઓ ઠાલવી બિન્દુ ત્રિવેદીએ

સોશ્યલ મીડિયા પર આક્રોશભરી લાગણીઓ ઠાલવી બિન્દુ ત્રિવેદીએ

Published : 01 January, 2026 01:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાગણીને વાચા આપવા તેમણે ​ઇન્સ્ટાગ્રામ પર મહાભારતનો સંદેશ ટાંકતી પોસ્ટ મૂકી છે અને ફેસબુક પર વેધક શાયરીઓ પોસ્ટ કરી છે.

બિન્દુ ત્રિવેદી અને તેમણે કરેલી પોસ્ટ

લાઇફ મસાલા

બિન્દુ ત્રિવેદી અને તેમણે કરેલી પોસ્ટ


BJPએ આ વખતે BMCના ઇલેક્શનની ટિકિટ ન આપી એનાથી ઘાટકોપરનાં જાણીતાં રાજકારણી બિન્દુ ત્રિવેદીને ખૂબ આઘાત લાગ્યો છે અને આ આઘાતને તેમણે સોશ્યલ મીડિયા પરનાં અલગ-અલગ માધ્યમો પર વાચા આપી છે. ૨૦૧૭ની BMCની ચૂંટણીમાં બિન્દુબહેન ઘાટકોપરના જે વૉર્ડમાંથી ચૂંટાયાં હતાં એ વૉર્ડ આ વખતની લૉટરીમાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને ફાળે ગયો છે. એટલે બિન્દુબહેનને અપેક્ષા હતી કે તેઓ જ્યાં રહે છે એ વૉર્ડમાંથી તેમને ઉમેદવારી આપવામાં આવે, આ વૉર્ડ મહિલાઓ માટે અનામત છે એ પણ ફૅક્ટર હતું તેમની અપેક્ષામાં. જોકે પાર્ટીએ બિન્દુબહેનની અવગણના કરીને બીજા કોઈ પર પસંદગી ઉતારી એનું સ્વાભાવિકપણે જ તેમને લાગી આવ્યું છે. આ લાગણીને વાચા આપવા તેમણે ​ઇન્સ્ટાગ્રામ પર મહાભારતનો સંદેશ ટાંકતી પોસ્ટ મૂકી છે અને ફેસબુક પર વેધક શાયરીઓ પોસ્ટ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK