Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભાયખલામાં લાગેલી આગમાંથી ૧૦-૧૨ જણને બચાવી લેવાયા

ભાયખલામાં લાગેલી આગમાંથી ૧૦-૧૨ જણને બચાવી લેવાયા

Published : 22 June, 2025 11:52 AM | Modified : 23 June, 2025 06:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘટનાની જાણ થતાં જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના E વૉર્ડના ઑફિસરો, ફાયર-બ્રિગેડ, લોકલ પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં

ભાયખલામાં લાગેલી આગ

ભાયખલામાં લાગેલી આગ


મહાલક્ષ્મી સાત રસ્તા જંક્શન પાસે આવેલા બે માળના મકાનમાં ગઈ કાલે સાંજે આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ ઉપરના માળે ફસાયેલા ૧૦-૧૨ લોકોને સુરક્ષિત બચાવી લીધા હતા.


સાત રસ્તા જંક્શન પાસે આવેલા સંત રોહિદાસ ગાર્ડન નજીકના મુસા હાઉસમાં સાંજે ૬.૨૦ વાગ્યે આ આગ મકાનની નીચે આવેલી દુકાનમાં લાગી હતી. આ આગમાં ૫-૬ કૉમ્પ્રેસર, લિક્વિડ પેટ્રોલિયમ ગૅસનાં સિલિન્ડર, લાકડાનું ફર્નિચર, ઘરવખરી વગેરે બળીને ખાખ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના E વૉર્ડના ઑફિસરો, ફાયર-બ્રિગેડ, લોકલ પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2025 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK