Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને મની લોન્ડરિંગ કેસમાં EDએ પાઠવી નોટિસ, જાણો વિગત

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને મની લોન્ડરિંગ કેસમાં EDએ પાઠવી નોટિસ, જાણો વિગત

03 July, 2022 05:33 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નિવૃત્તિના માત્ર ત્રણ જ દિવસ બાદ EDએ તેમને નોટિસ મોકલી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે. તસવીર સૌજન્ય: એએનઆઈ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે. તસવીર સૌજન્ય: એએનઆઈ


ત્રણ દિવસ પહેલાં પોલીસ દળમાંથી નિવૃત્ત થયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 5 જુલાઈએ સંજય પાંડેને EDએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. સંજય પાંડે 30 જૂને મુંબઈ પોલીસ કમિશનર પદ પરથી નિવૃત્ત થયા હતા. નિવૃત્તિના માત્ર ત્રણ જ દિવસ બાદ EDએ તેમને નોટિસ મોકલી છે.

સંજય પાંડે જ્યારે ડીજી હતા ત્યારે તેમણે પરમબીર સિંહ પર અનિલ દેશમુખ સામેથી ખસી જવા દબાણ કર્યું હતું. NSE સર્વર કંપરાઇઝ કેસમાં પણ તેમને સમન્સ પાઠવવામાં આવ્યા છે. રામકૃષ્ણ કેસમાં એક ઓડિટ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જે સંજય પાંડેની માલિકીની હતી. બંને કેસમાં સંજય પાંડેને ED દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. એવું કહેવાય છે કે આ કેસમાં ED સંજય પાંડે સામે કાર્યવાહી કરી શકે છે.


03 July, 2022 05:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK