Fact Check: ભારતીય સીમાઓ પર તનાવ ફેલાવવાના પાકિસ્તાનના પ્રયત્નો ફક્ત ફાયરિંગ અને ઘુસણખોરી સુધી સીમિત નથી રહી. તે હવે સોશિયલ મીડિયા દ્વારા પણ જૂઠ્ઠાણું ફેલાવવામાં લાગી ગયું છે.
10 May, 2025 03:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentદૂધનો અભિષેક અને ભારત માતાનો જયજયકાર કરીને તેમણે રાષ્ટ્રભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.
10 May, 2025 03:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમહિનાઓ પછી પણ અધિકારીઓ તેમને જીવતા સ્વીકારવા તૈયાર ન થતાં હવે મોહમ્મદ આશિક પોસ્ટરમાં ‘સાહેબ, મૈં અભી ઝિન્દા હૂં’ એમ લખી ગળે વળગાડીને ધરણાં પર બેઠા છે.
10 May, 2025 03:16 IST | Lucknow | Gujarati Mid-day Correspondentદુલ્હાએ બધી લાઇટો બંધ કરાવીને અંધારામાં જ વિધિ ચાલુ રખાવી
10 May, 2025 03:11 IST | Jodhpur | Gujarati Mid-day Correspondentઆમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)નું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
10 May, 2025 02:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondentભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધતા તાણ વચ્ચે સીમા પારથી નાપાક હરકતો કરવામાં આવી રહી છે. પાડોશી દેશ સતત રાતનાં અંધારામાં ભારતીય સીમામાં ઘુસીને હુમલો કરી રહ્યું છે. શનિવારે કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કૉન્ફ્રેન્સમાં તે ભારતીય સ્થળો વિશે માહિતી આપી, જેને પાકિસ્તાન નિશાન બનાવી રહ્યું છે. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે શ્રીનગરથી માંડીને પંજાબ અને રાજસ્થાન, ગુજરાત સુધીના ઍરબેઝ સ્ટેશનને તો પાકિસ્તાને નિશાન બનાવ્યા જ હતા પણ સાથે જ સ્કૂલ અને હૉસ્પિટલ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો જેને ભારતીય સંરક્ષણ દળોએ નિષ્ફળ કરી દીધો.
10 May, 2025 02:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentભારતના અનેક ખેલાડીઓએ ગર્વથી સશસ્ત્ર દળોમાં સેવા આપી છે, જે રમતગમતની શ્રેષ્ઠતા અને દેશભક્તિના કર્તવ્યનું મિશ્રણ છે. મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેન્ડુલકર અને અભિનવ બિન્દ્રા જેવા દિગ્ગજ ખેલાડીઓને તેમની સિદ્ધિઓ માટે માનદ પદ આપવામાં આવ્યું હતું. નીરજ ચોપરા અને દીપક પુનિયા સહિત અન્ય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરતી વખતે જુનિયર કમિશન્ડ ઑફિસર તરીકે સેવા આપી છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને રેસર મિલ્ખા સિંહની સંપૂર્ણ લશ્કરી કારકિર્દી હતી જેમણે તેમના સ્પોર્ટ્સ કરિયરના શિસ્તને આકાર આપ્યો હતો. કપિલ દેવ અને બલબીર સિંહ સિનિયર જેવા દિગ્ગજોને પણ ભારતીય સેના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. (તસવીરો: X)
10 May, 2025 06:27 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentઆજકાલ બાળકના જન્મ પહેલાં જ તે કઈ સ્કૂલમાં ભણશે, પસંદગીની સ્કૂલમાં ઍડ્મિશન મળશે કે નહીં, ઍડ્મિશન મળશે તો કેટલું ખિસ્સું ઢીલું કરવું પડશે એવા પ્રશ્નો વાલીઓને મૂંઝવે છે. અમુક યુગલો તો ભારતમાં શિક્ષણ પાછળ થતા અધધધ ખર્ચને દૂરથી જોઈને જ બાળક પ્લાન કરવાનું માંડી વાળે છે. વળી બાળકોમાં ભણવાના તનાવને લઈને ડિપ્રેશનથી લઈને આત્મહત્યાના કિસ્સા પણ વધી રહ્યા છે. એવા સમયે અમુક સર્જનાત્મક વિચારધારા ધરાવતા વાલીઓએ આવા અનેક પ્રશ્નોનો ઉકેલ શોધીને પોતાનાં બાળકોને સ્કૂલ ન મોકલીને તેમના માટે ભણવાની એક નોખી પદ્ધતિ નક્કી કરી છે. તેમનાં બાળકોને તેઓ આરામથી કહે છે કે ન ભણવું હોય તો રહેવા દે. આવો જાણીએ અનસ્કૂલિંગ તરીકે પ્રખ્યાત થઈ રહેલી આ નવી પદ્ધતિને ૧૧ વર્ષના આરવને મન થયું કે આજે તે ૧૦ આઇસક્રીમ કૅન્ડી ખરીદીને રસ્તા પર ભિક્ષા માગતાં બાળકોને આપે. તેના ઉમદા કામ માટે તેના પપ્પા જેવા પૈસા આપવા જાય છે ત્યાં આરવ તેમને રોકતાં કહે છે, ‘મારે મારા કમાયેલા પૈસામાંથી આ આપવું છે.’ સોસાયટીમાં એક ભાઈની બિલાડી ઝાડ પર ચડી ગઈ છે અને તે ફાયર-બ્રિગેડને બોલાવવા ફોન કરે છે ત્યાં આઠ વર્ષની આયશા કહે છે, ‘ફોન રહેવા દો, હું હમણાં ઝાડ પર ચડીને એને ઉતારી દઉં.’ રસોડામાં આજે છ વર્ષનો નિહાલ એકદમ ચીવટથી પૂરીઓ તળી રહ્યો છે. તેણે મમ્મીને સૂચના આપી છે કે આજે તેણે ફક્ત આરામ કરવાનો છે. મમ્મીને ખબર છે કે નિહાલ બધું સંભાળી લે એમ છે. ફૅમિલી ગેટ-ટુગેધરમાં એક જણ ગરોળી જોઈ ઊછળી પડે છે ત્યારે નાનકડો ધ્યાન ખડખડાટ હસી પડે છે અને હાથમાં ગરોળી લઈને એને બીજે ઠેકાણે મૂકી આવે છે. આવાં દૃશ્યો વાર્તા જેવાં લાગે છેને? ના, આ કોઈ કપોળકલ્પિત વાતો નથી. આ બધાં જ બાળકો એવાં છે જેઓ ખરેખર એવી આવડત ધરાવે છે જે કદાચ તેમની ઉંમરનાં સ્કૂલમાં જતાં બીજાં બાળકોમાં ભાગ્યે જ જોવા મળશે. આ એવાં બાળકો છે જેઓ પોતાની સવાર બગીચામાં કામ કરીને, બપોરે લેગો રોબો રમીને અને સાંજનો સમય પૌરાણિક વાર્તાઓ વાંચીને વિતાવે છે. ન તેઓ કોઈ સ્કૂલમાં જાય છે, ન કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ અનુસરે છે અને ન આજ સુધી કોઈ પરીક્ષા આપી છે એમ છતાં તેઓ રોજ નવું શીખે છે. આ બાળકો છે ભારતમાં તેજીથી ઉદય પામી રહેલા ‘અનસ્કૂલિંગ’ કન્સેપ્ટનાં, જે પરંપરાગત શિક્ષણપદ્ધતિ સામે ઉકેલરૂપ બનેલી એક નવી જ દિશા છે. અનસ્કૂલિંગ પહેલાં તો પશ્ચિમના દેશોમાં વધુ જોવા મળતું, પણ હવે ભારતમાંય વિકસી રહ્યું છે. ભારતમાં સ્કૂલની અધધધ ફી, બોજારૂપ કોર્સ, ગળાકાપ હરીફાઈ અને આ બધાને અંતે વધતા જતા ચાઇલ્ડ ડિપ્રેશન અને આત્મહત્યાના કેસ આજે શિક્ષણ માટે બહેતર રસ્તો પસંદ કરવા દરેક મમ્મી-પપ્પાને મજબૂર કરે છે. એટલે જ અનસ્કૂલિંગ વધુ સ્વતંત્ર અને રણનીતિવિહીન, બાળકોના રસઆધારિત અભ્યાસપદ્ધતિ હોવાથી દિવસે-દિવસે વધુ લોકપ્રિય બની રહ્યું છે. મુંબઈ, હૈદરાબાદ અને અમદાવાદ જેવાં શહેરોમાં અનેક અનસ્કૂલિંગ પરિવારોએ પોતપોતાનાં સામુદાયિક જૂથો અને વૈકલ્પિક શિક્ષણકેન્દ્રો બનાવ્યાં છે. અહીં પરિવારોએ સહભાગી થઈને એકબીજાથી શીખવાનું માધ્યમ ઊભું કરવાનું હોય છે. ખાસ કરીને કોરોના મહામારી દરમ્યાન જ્યારે સ્કૂલો બંધ હતી ત્યારે ઘણા પરિવારો આમાં ઉમેરાયા અને આજ સુધી તેઓ આ જ પદ્ધતિથી શીખવાડી રહ્યા છે. જોકે આ માર્ગ સહેલો નથી. સોશ્યલાઇઝેશન, ભવિષ્યમાં વ્યવસાય અને ભારતની શૈક્ષણિક નીતિમાં અનસ્કૂલિંગના કાયદેસર સ્થાન વિશેની અનિશ્ચિતતા એક મોટી ચિંતાનો વિષય છે. એટલે જ ઘણા પરિવારો આને શંકાથી જુએ છે. તો ચાલો આજે આવા અનસ્કૂલિંગ પરિવારોને મળીને તેમના મુખેથી જ આપણી મૂંઝવણોનો અંત આણીએ.
09 May, 2025 03:04 IST | Mumbai | Sameera Dekhaiya Patrawalaઅમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, `આજે સવારે વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે વાત કરી. બંને મંત્રણાઓમાં સચિવે તાત્કાલિક તણાવ ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને હિંસાનો અંત લાવવા હાકલ કરી હતી.તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત માટે અમેરિકાનું સમર્થન વ્યક્ત કર્યું હતું અને સંદેશાવ્યવહાર સુધારવાના સતત પ્રયાસોને પ્રોત્સાહન આપ્યું હતું. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, "સેક્રેટરી ઓફ સ્ટેટનું વાસ્તવિક ધ્યાન એ છે કે આ વધવું જોઈએ નહીં.આ એક મુખ્ય માળખું રહ્યું છે. આ દાયકાઓથી એક મુદ્દો રહ્યો છે અને આતંકવાદી હુમલા પછી છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપણે જે જોયું છે તેની સાથે.તે આશ્ચર્યજનક ન હતું, પરંતુ ખૂબ જ નિરાશાજનક હતું.તે વધવું ન જોઈએ અને વાતચીત મૂળભૂત રીતે ચાવીરૂપ હતી કે વાટાઘાટો થવી જોઈએ, મૌન ન હોવું જોઈએ, અને છેલ્લા બે દિવસમાં બંને દેશોના વિવિધ નેતાઓ સાથે વાત કરવામાં અમેરિકા આના કેન્દ્રમાં હતું... " યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, "એવી ચર્ચા છે કે પાકિસ્તાન આતંકવાદી હુમલા અંગે શું થયું છે તેની સ્વતંત્ર તપાસ ઇચ્છે છે. અમે ઇચ્છીએ છીએ કે ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે અને તે માટે કોઈપણ પ્રયાસોનું સમર્થન કરીએ...અમે ભારત અને પાકિસ્તાનને આ મામલે જવાબદાર ઉકેલ તરફ કામ કરવા માટે સતત વિનંતી કરી રહ્યા છીએ.અમે એમ પણ કહેવા માંગીએ છીએ કે અત્યારે આ ખાસ કિસ્સામાં જે બાબત મહત્વની છે તે એ છે કે ફોન કોલ્સ થયા છે અને અમે બંને સરકારો સાથે બહુવિધ સ્તરે જોડાયેલા છીએ.અમે વાતચીત શું થઈ છે અથવા અમે શું વ્યક્ત કર્યું છે તેની ચર્ચામાં જોડાશું નહીં... "
09 May, 2025 02:33 IST | Washington8 મેના રોજ પાકિસ્તાને જમ્મુ ક્ષેત્રમાં સામ્બા અને આર. એસ. પુરા સેક્ટરને નિશાન બનાવીને આઠ મિસાઇલ છોડી..જો કે, તમામ આવતી મિસાઇલોને ભારતીય સંરક્ષણ એકમો દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવી હતી, જેથી કોઈ નુકસાન અથવા જાનહાનિ થઈ નથી. ઝડપી અને અસરકારક પ્રતિક્રિયાએ ભારતની મજબૂત હવાઈ સંરક્ષણ ક્ષમતાઓ અને પરિચાલન સજ્જતા દર્શાવી હતી.
09 May, 2025 02:10 IST | Jammu And Kashmirપાકિસ્તાની સેનાએ સતત 14મા દિવસે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, કુપવાડા, બારામુલ્લા, ઉરી અને અખનૂર સહિત અનેક વિસ્તારોમાં નિયંત્રણ રેખા (LoC) પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર અને ભારે તોપમારો કર્યો. તોપમારા, જેમાં તોપખાના અને મોર્ટાર ફાયરનો સમાવેશ થતો હતો, તેમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા, જેમાં ચાર બાળકો અને એક ભારતીય સૈનિકનો સમાવેશ થાય છે. આ હુમલો ભારતના ઓપરેશન સિંદૂર બાદ થયો હતો, જેમાં ભારતીય સેનાએ આક્રમણનો યોગ્ય જવાબ આપ્યો હતો. તીવ્ર તોપમારાથી ઘણા ઘરોને ભારે નુકસાન થયું હતું, જેના કારણે સ્થાનિક સમુદાયો ગભરાટમાં મુકાઈ ગયા હતા. પાકિસ્તાની દળોએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કરતાં કાશ્મીર વિભાગ હેઠળના સરહદી ગામોના રહેવાસીઓને તેમના ઘર છોડીને સલામત સ્થળોએ જવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકોએ સતત ગોળીબાર અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા પર ઊંડી વ્યથા વ્યક્ત કરી છે, અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી છે.
08 May, 2025 08:41 IST | Srinagarએક સર્વપક્ષીય બેઠકમાં, AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારને પાકિસ્તાન સ્થિત પ્રોક્સી આતંકવાદી સંગઠન, તહરીક-એ-રેઝિલિયન્સ ફ્રન્ટ (TRF) વિરુદ્ધ વૈશ્વિક ઝુંબેશ શરૂ કરવા વિનંતી કરી. તેમણે સરહદ પારથી ઉદ્ભવતા આતંકવાદને રોકવા માટે આંતરરાષ્ટ્રીય દબાણની જરૂરિયાત પર ભાર મૂક્યો.
08 May, 2025 05:02 IST | New DelhiADVERTISEMENT
ADVERTISEMENT