Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારના પૌત્ર રોહિત પવાર સુધી પહોંચી ED, સવારે જ 6 જગ્યાએ થયું સર્ચ

શરદ પવારના પૌત્ર રોહિત પવાર સુધી પહોંચી ED, સવારે જ 6 જગ્યાએ થયું સર્ચ

05 January, 2024 07:01 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રવર્તન નિદેશાલયે એનસીપી ચીફ શરદ પવારના પૌત્ર રોહિત પવાર સાથે જોડાયેલી કંપનીઓમાં આજે સર્ચ કરી છે. આ સર્ચ બારામતી એગ્રો સાથે જોડાયેલી છ જગ્યાએ થયું છે. આ કંપની રોહિત પવારની માલિકીની છે.

શરદ પવારની ફાઈલ તસવીર

શરદ પવારની ફાઈલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. એનસીપી ચીફ શરદ પવારના પૌત્રની જગ્યાએ દરોડા
  2. પ્રવર્તન નિદેશાલયે પાડ્યા રોહિત પવારની જગ્યાઓ પર દરોડા
  3. NCP ચીફ શરદ પવારના પૌત્ર રોહિત પવારની માલિકીના 6 સ્થળોએ પ્રવર્તન નિદેશાલયે પાડ્યા દરોડા

પ્રવર્તન નિદેશાલયે એનસીપી ચીફ શરદ પવારના પૌત્ર રોહિત પવાર સાથે જોડાયેલી કંપનીઓમાં આજે સર્ચ કરી છે. આ સર્ચ બારામતી એગ્રો સાથે જોડાયેલી છ જગ્યાએ થયું છે. આ કંપની રોહિત પવારની માલિકીની છે.

એનસીપી ચીફ શરદ પવારની નજીકના અને તેમના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રો પર ઈડીએ દરોડા પાડ્યા છે. શુક્રવારે સવારે પ્રવર્તન નિદેશાલયની ટીમ બારામતી એગ્રોના પરિસરમાં પહોંચી અને તપાસ કરી. એજન્સીનું કહેવું છે કે બારામતી એગ્રોના પરિસરોમાં આ તપાસ મહારાષ્ટ્ર સ્ટેટ કૉપરેટિવ બેન્ક કૌભાંડ મામલે કરવામાં આવી છે, જેમાં મની લૉન્ડ્રિંગનો પણ આરોપ છે. બારામતી એગ્રો વિરુદ્ધ આ ઈન્વેસ્ટિગેશન પુણે, બારામતી, ઔરંગાબાદ અને અમરાવતી સહિત 6 જગ્યાઓ પર થઈ છે. એટલું જ નહીં આ સર્ચ દરમિયાન બારામતી સ્થિત કંપનીના પરિસરને કવર પણ કરી દેવામાં આવ્યો હતો.



શરદ પવારની ફેમિલી વિરુદ્ધ ઈડીની આ તપાસ તે સમયે થઈ છે, જ્યારે તેમના ભત્રીજા અજિત પવાર ડિપ્ટી સીએમ છે. આ ઈન્વેસ્ટિગેશન 2019માં મુંબઈ પોલીસની આર્થિક ક્રાઈમ બ્રાન્ચ તરફથી નોંધવામાં આવેલા કેસમાં થઈ છે. હકીકતે ગયા વર્ષે 22 ઑગસ્ટને બૉમ્બે હાઈ કૉર્ટે આદેશ આપ્યો હતો કે રાજ્યના સહકારી સેક્ટરની શુગર ફેક્ટ્રીઝને જે રીતે વેચવામાં આવ્યા છે, જેની તપાસ થવી જોઈએ. કૉર્ટે સુનાવણી દરમિયાન વેચાણની કિંમત પર પણ ટિપ્પણી કરી હતી. કૉર્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આખરે તેમણે જે-તે કિંમતમાં કેમ વેચવામાં આવી.


`ટારગેટનું શું છે, કંઈપણ નક્કી કરો, પણ માહોલ ભાજપ વિરુદ્ધ`
આ દરમિયાન એનસીપી ચીફ શરદ પવારનું કહેવું છે કે લોકસભા ચૂંટણીમાં સ્થિતિ ભાજપના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે ભલે ભાજપ 400 સીટનું ટારગેટ નક્કી કરી લીધું છે, અને તેને આનો હક પણ છે, પણ સ્થિતિ તેમના વિરુદ્ધ છે. શિરડીમાં તેમણે કહ્યું કે ભાજપ સત્તામાં છે. તે આક્રમક અભિયાન પણ ચલાવી શકે છે. ભાજપનો તો પ્રોપેગેન્ડા મશીન છે, જે જર્મનીમાં હિટલરની જેમ કામ કરે છે. તે 543માંથી 400 સીટ જીતવાનો ટારગેટ પણ નક્કી કરી શકે છે, પણ એવું કંઈ શક્ય નથી. તેમણે કહ્યું કે ભાજપ કેરળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, દિલ્હી, પંજાબ, બંગાળ, બિહાર અને ઝારખંડમાં સત્તામાં નથી.

મહારાષ્ટ્રમાં ફક્ત કૉંગ્રેસ જ વિપક્ષમાં એકત્ર, બાકી બન્નેમાં પડી ફૂટ
નોંધનીય છે કે એનસીપી ચીફ શરદ પવાર INDIA અલાયન્સનો મહત્ત્વનો ચહેરો છે. જો કે, હવે તેમની જ પાર્ટીમાં વહેંચણી થઈ ગઈ છે અને મોટાભાગના સાંસદ તેમજ વિધેયક અજિત પવારના પક્ષમાં છે. એવામાં કૉંગ્રેસ સાથે સીટને લઈને તેમની શું ડીલ થઈ શકે છે, એ જોવાનું રહેશે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં વિપક્ષમાં કૉંગ્રેસ જ એવી પાર્ટી છે જે એકસાથે છે. ઉદ્ધવ સેના અને એનસીપીમાં તો બે જૂથ છે, જેમાંથી એક સત્તાનો ભાગ છે અને બીજું વિપક્ષમાં બેઠેલું છે.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2024 07:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK