Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આચારસંહિતાનું ગ્રહણ નડ્યું દાદરના કોહિનૂર પબ્લિક પાર્કિંગ-લૉટને, બંધ થઈ ગયો

આચારસંહિતાનું ગ્રહણ નડ્યું દાદરના કોહિનૂર પબ્લિક પાર્કિંગ-લૉટને, બંધ થઈ ગયો

04 April, 2024 07:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૯ના જુલાઈ મહિનામાં એક બિલ્ડરે સુધરાઈને આ સુવિધા નિ:શુલ્ક બાંધી આપી હતી અને બદલામાં તેણે બહુમાળી ઇમારત બાંધવામાં વધારાની સુવિધા મેળવી હતી.

દાદર સ્ટેશનની ફાઇલ તસવીર

દાદર સ્ટેશનની ફાઇલ તસવીર


દાદરમાં આવેલા કોહિનૂર પબ્લિક પાર્કિંગ-લૉટને લોકસભાની ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ નડી ગયું છે. હાલમાં જે કૉન્ટ્રૅક્ટર આ પાર્કિંગ-લૉટનું સંચાલન કરતો હતો તેનો કૉન્ટ્રૅક્ટ ૩૧ માર્ચે પૂરો થઈ ગયો છે અને તેથી આ પાર્કિંગ-લૉટ હાલમાં બંધ છે. આચારસંહિતાને કારણે નવા કૉન્ટ્રૅક્ટરની સાથે કૉન્ટ્રૅક્ટ થઈ શક્યો નથી. જોકે સુધરાઈની સ્થાનિક વૉર્ડ-ઑફિસે આ પાર્કિંગ-લૉટ જલદી શરૂ કરાવવા માટેની કવાયત હાથ ધરી છે અને સંબંધિત વિભાગો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવામાં આવી રહી છે. દાદર વિસ્તારમાં આવતા લોકો માટે આ પાર્કિંગ-લૉટમાં આશરે ૧૦૦૮ કાર-પાર્કિંગની સુવિધા છે અને તેથી લોકો માટે એ સુવિધાજનક છે. ૨૦૧૯ના જુલાઈ મહિનામાં એક બિલ્ડરે સુધરાઈને આ સુવિધા નિ:શુલ્ક બાંધી આપી હતી અને બદલામાં તેણે બહુમાળી ઇમારત બાંધવામાં વધારાની સુવિધા મેળવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK