Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CBIએ સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો, ઘરમાં પણ લીધી ઝડતી

CBIએ સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો, ઘરમાં પણ લીધી ઝડતી

12 May, 2023 07:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એજન્સીએ તેની તપાસના ભાગરૂપે અન્ય બે જાહેર સેવકો અને બે ખાનગી વ્યક્તિઓના ચાર શહેરો - દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચીમાં વાનખેડેના પરિસરમાં અને 28 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. તે સમીર વાનખેડે હતો, જેણે ઑક્ટોબર 2021માં મુંબઈમાં કોર્ડેલિયા ક્રુઝ શિપ પર વિવાદાસ્પદ ડ્રગ્સ દરોડાનું નેતૃત્વ કર્યું હતું અને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. એજન્સીએ તેની તપાસના ભાગરૂપે અન્ય બે જાહેર સેવકો અને અન્ય બે વ્યક્તિઓના ચાર શહેરો - દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચીમાં વાનખેડેના પરિસરમાં અને 28 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.

એનસીબીએ લાંચ કેસમાં વાનખેડે અને અન્ય લોકોની તપાસ કરવા માટે સીબીઆઈને પત્ર લખ્યો હતો. વાનખેડેને ગયા વર્ષે NCBમાંથી દૂર કરવામાં આવ્યો હતો કારણ કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ડેલિયા દરોડામાં વિસંગતતા શોધી કાઢી હતી અને આર્યન ખાનને ક્લીનચીટ આપી હતી. વાનખેડે હાલમાં ચેન્નાઈમાં ડાયરેક્ટર જનરલ ઑફ ટેક્સપેયર્સ સર્વિસીસ (DGTS)ની ઑફિસમાં પોસ્ટેડ છે.



ગયા અઠવાડિયે, એનસીબીએ પોલીસ અધિક્ષક રેન્કના અધિકારી - વિશ્વ વિજય સિંહને એજન્સીની સેવામાંથી દૂર કર્યા હતા. વાનખેડે ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી છે. વર્ષ 2021માં તેમના નેતૃત્વ હેઠળ, NCBએ એક જહાજમાંથી 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ મેફેડ્રોન, 21 ગ્રામ ગાંજો, 22 MDMA ટેબ્લેટ અને ₹1.33 લાખ રોકડ જપ્ત કરવાનો દાવો કર્યો હતો. એજન્સીએ કલાકોની પૂછપરછ બાદ 3 ઑક્ટોબરે 14 લોકોની ધરપકડ કરી હતી અને આર્યન ખાન (24), અરબાઝ મર્ચન્ટ (26) અને મુનમુમ ધામેચા (28)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ, એજન્સીએ દરોડાના સંદર્ભમાં વધુ 17 લોકોની ધરપકડ કરી હતી.


વોટ્સએપ ચેટના આધારે વાનખેડેની ટીમે દાવો કર્યો હતો કે આરોપીઓ મોટા કાવતરાનો ભાગ હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આર્યન ખાન કેટલાક વિદેશી ડ્રગ સપ્લાયરના સંપર્કમાં હતો અને ચેટમાં ‘હાર્ડ ડ્રગ્સ’ અને ‘મોટી માત્રા’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, NCBના દાવાને ફગાવી દેતા, બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ નીતિન ડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે ગયા વર્ષે ઑક્ટોબરમાં કહ્યું હતું કે ષડયંત્ર હોવાના કોઈ પુરાવા નથી.

આ પણ વાંચો: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને રાહત, મહા. સરકારે તમામ આરોપ રદ કર્યા


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ દરોડાની ફરી તપાસ માટે NCB દ્વારા રચવામાં આવેલી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંઘની આગેવાની હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને પુરાવા મળ્યા નથી કે અભિનેતાનો પુત્ર ડ્રગ્સના કાવતરાનો ભાગ હતો. એસઆઈટીને નાટકીય દરોડામાં ઘણી ગેરરીતિઓ પણ મળી આવી હતી. SITએ ગયા વર્ષે મે મહિનામાં 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2023 07:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK