Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભૂતપૂર્વ કમિશનર અનિલ પવારની ધરપકડને બૉમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે ગણાવી

ભૂતપૂર્વ કમિશનર અનિલ પવારની ધરપકડને બૉમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે ગણાવી

Published : 16 October, 2025 08:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

EDએ રજૂ કરેલી ચાર્જશીટમાં ભૂતપૂર્વ કમિશનરે ૩ વર્ષમાં ૧૬૯ કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનો આરોપ

 અનિલ પવાર

અનિલ પવાર


વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC)ના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર પર કરોડો રૂપિયાની લાંચ લેવાનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં અનિલ પવારની ધરપકડ કરવામાં આવી છે જેને બૉમ્બે હાઈ કોર્ટે ગેરકાયદે ગણાવી છે. હાઈ કોર્ટે નોંધ્યું હતું કે અનિલ પવારની ધરપકડ કરી એ સમયે અરેસ્ટિંગ ઑફિસર પાસે પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટની કલમ ૧૯ મુજબ ધરપકડ માટે જરૂરી કોઈ ઠોસ પુરાવા નહોતા.

બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની ખંડપીઠે સ્પેશ્યલ કોર્ટે આપેલા જુડિશ્યલ કસ્ટડીના આદેશને અમાન્ય રાખ્યો હતો તેમ જ અનિલ પવારને છોડી દેવાનો આદેશ આપ્યો હતો.



આ કેસમાં સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ અનિલ પવાર સહિત અન્ય ૩ આરોપીઓની ૭૧ કરોડ રૂપિયાની સ્થાવર મિલકત ટાંચમાં લીધી હતી. કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં અનિલ પવારે ૩ વર્ષમાં ૧૬૯ કરોડ રૂપિયાથી વધુ લાંચ તરીકે લીધા હોવાનું EDએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2025 08:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK