Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની કોર્ટે મંજૂરી ન આપી

મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની કોર્ટે મંજૂરી ન આપી

Published : 06 December, 2025 11:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોંદિયા જિલ્લાની મસ્જિદ ગૌસિયાએ નમાજ પઢતી વખતે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી માગી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે મસ્જિદ દ્વારા લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી માગતી જે અરજી કરવામાં આવી હતી એને ફગાવી દેતાં કહ્યું હતું કે કોઈ પણ ધર્મ પ્રાર્થના કરતી વખતે અવાજ મોટો કરવો જોઈએ એમ નથી કહેતો. જસ્ટિસ અનિલ પાનસરે અને રાજ વાકોડેએ કહ્યું હતું કે ‘ધ્વનિપ્રદૂષણ એ કાયમની સમસ્યા છે. એની સામે ચાલીને નોંધ લેવાઈ છે. રાજ્ય સરકારે આ બાબતે અસરકારક ઉપાય શોધવાની જરૂર છે.’

ગોંદિયા જિલ્લાની મસ્જિદ ગૌસિયાએ નમાજ પઢતી વખતે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી માગી હતી. કોર્ટે નોંધ્યું હતું કે ‘અરજદાર નમાજ કરતી વખતે લાઉડસ્પીકર વગાડવું જરૂરી છે કે પછી ફરજિયાત એ વગાડવું જ પડે એ માટે કોઈ ચોક્કસ વસ્તુઓ આપી શક્યા નથી. એથી અરજદારને લાઉડસ્પીકર લગાડવાનો કોઈ અધિકાર મળતો નથી અને એ અરજી ફગાવી દેવામાં આવે છે.’



કોર્ટે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ટાંકતાં કહ્યું હતું કે ‘કોઈ પણ ધર્મ બીજાઓની શાંતિ હણીને પ્રાર્થના કરવાનું કહેતો નથી. એની સાથે એ મોટા અવાજે જ પ્રાર્થના કરવી જોઈએ કે નગારાં વગાડવાં જોઈએ એમ પણ કહેતો નથી.’   


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2025 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK