આ યોજનાને સૌપ્રથમ સપ્ટેમ્બર ૨૦૨૨માં મંજૂરી આપવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
BMC દ્વારા બાંદરા, ખાર અને અંધેરી વિસ્તારનાં નાળાં પર નવા રાહદારી પુલ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અનેક ખુલ્લાં નાળાં એવા રસ્તા પર છે જેનો ઉપયોગ લોકો રોજ અવરજવર માટે કરે છે. ખાસ કરીને ચોમાસા દરમ્યાન આ નાળાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી આ રસ્તાઓ પર ક્રૉસિંગને ખુલ્લું રાખીને નવી વૉટર-ચૅનલો માટે જગ્યા બનાવવામાં આવશે.
૩.૦૭ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટમાં બાંદરા-ઈસ્ટમાં મહારાષ્ટ્રનગર અને વાલ્મીકિનગર પાસે વાકોલા નાળા પર એક અલગ પુલનો પણ સમાવેશ થાય છે. આ યોજનાને સૌપ્રથમ સપ્ટેમ્બર ૨૦૨૨માં મંજૂરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ પુલ નાના પરંતુ કાર્યક્ષમ હશે, જેની લંબાઈ આશરે ૫૮.૬ મીટર અને પહોળાઈ ૨.૫ મીટર હશે. જો આ પ્રોજેક્ટને BMCની વર્ક્સ અને સ્ટૅન્ડિંગ કમિટી તરફથી અંતિમ મંજૂરી મળી જશે તો એનું એક વર્ષમાં કન્સ્ટ્રક્શન થઈ જશે.
