Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખાડાને લગતી બધી જ ફરિયાદોનો ૨૪ કલાકમાં ઉકેલ લાવવાનો BMCનો આદેશ

ખાડાને લગતી બધી જ ફરિયાદોનો ૨૪ કલાકમાં ઉકેલ લાવવાનો BMCનો આદેશ

Published : 23 June, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCના જણાવ્યા અનુસાર મુંબઈના કુલ ૨૦૦૦ કિલોમીટરના રસ્તાઓમાંથી લગભગ ૧૭૦૦ કિલોમીટરનું કૉન્ક્રીટિંગ થઈ ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ્સ) અભિજિત બાંગરે BMCના એન્જિનિયરોને નિર્દેશ આપ્યો છે કે ખાડાઓની ફરિયાદ મળે તો એ ફરિયાદ મળ્યાના ૨૪ કલાકમાં ભરાઈ જવા જોઈએ અને એનું સમારકામ થઈ જવું જોઈએ. વળી ખાડાનું સમારકામ નિર્ધારિત ટેક્નિકલ સ્ટાન્ડર્ડ અને ક્વૉલિટીના સ્ટાન્ડર્ડ અનુસાર કડક રીતે કરવામાં આવે અને ક્ષતિગ્રસ્ત રસ્તાના પૅચને વિલંબ કર્યા વિના ફરી બનાવવામાં આવે.

અભિજિત બાંગરે વૉર્ડ સ્તરના જુનિયર એન્જિનિયરોને નાગરિકોની ફરિયાદોની રાહ જોવાને બદલે નિયમિત નિરીક્ષણ કરવાનો અને રસ્તાના નુકસાનને ઓળખી કાઢવાનો આદેશ આપ્યો છે. ૨૨૭ નિયુક્ત બીટ એન્જિનિયરોને દરેકને સમયસર ખાડા શોધવા અને સમારકામ સુનિશ્ચિત કરવા માટે ડેઇલી વિઝિટ સોંપવામાં આવી છે.



BMCના જણાવ્યા અનુસાર મુંબઈના કુલ ૨૦૦૦ કિલોમીટરના રસ્તાઓમાંથી લગભગ ૧૭૦૦ કિલોમીટરનું કૉન્ક્રીટિંગ થઈ ગયું છે. બાકીના રસ્તાઓ હાલમાં પ્રગતિ હેઠળ છે અને ચોમાસા પછી આ કામ પૂરું થવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK