Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેના અનેક વિસ્તારોમાં શુક્રવારે અને શનિવારે પાણી નહીં આવે

થાણેના અનેક વિસ્તારોમાં શુક્રવારે અને શનિવારે પાણી નહીં આવે

23 March, 2023 09:13 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબ્રા, દિવા, કલવા, માનપાડા, માજીવડેમાં એમઆઇડીસી દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


થાણેના અનેક વિસ્તારો મુંબ્રા, દિવા, કલવા, માનપાડા, માજીવડેમાં એમઆઇડીસી દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. એમઆઇડીસીએ પાણીપુરવઠાની એની યોજના અંતર્ગત નાખેલી મોટી પાઇપલાઇનનું સમારકામ કરવાનું હોવાથી શુક્રવાર બપોરે ૧૨ વાગ્યાથી શનિવાર બપોરે ૧૨ વાગ્યાના ૨૪ કલાક દરમિયાન એ વિસ્તારોમાં પાણીપુરવઠો નહીં થાય. એટલે એ વિસ્તારના નાગરિકોને પાણી સાચવીને વાપરવાનું જણ‌ાવાયું છે. એટલું જ નહીં, એ સમારકામ થઈ ગયા બાદ બીજા બે દિવસ પણ પાણી ઓછા પ્રેશરથી છોડવામાં આવશે એટલે પાણીની સપ્લાય ઓછી થશે એમ વધુમાં કહેવાયું છે.   


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2023 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK