Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪૦૦ જગ્યાએ હિન્દુત્વની ધજા ફરકાવવામાં આવશે

૪૦૦ જગ્યાએ હિન્દુત્વની ધજા ફરકાવવામાં આવશે

03 April, 2024 08:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાનનો ૩૭૦ બેઠક મેળવવાનો સંકલ્પ પૂરો કરવા માટે દરેક બૂથમાં આટલા વધુ મતદારોને જોડવાની પણ યોજના

આશિષ શેલાર

આશિષ શેલાર


૬ એપ્રિલે ભારતીય જનતા પાર્ટી (BJP)નો ૪૫મો સ્થાપનાદિવસ છે અને આવતા મહિને ૨૦ મેએ મુંબઈ સહિત આસપાસમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે એને ધ્યાનમાં રાખીને BJPએ મેગા પ્લાન બનાવ્યો છે. મુંબઈ BJPના અધ્યક્ષ અને બાંદરા વેસ્ટના વિધાનસભ્ય ઍડ્વોકેટ આશિષ શેલારે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પધરામણી બાદ પક્ષનો પહેલો સ્થાપનાદિવસ છે ત્યારે મુંબઈમાં ૪૦૦ જગ્યાએ હિન્દુત્વની ધજા ફરકાવવાની સાથે ૯ એપ્રિલે હિન્દુ નવું વર્ષ ગુઢી પાડવા છે ત્યારે ઘરે-ઘરે ગુઢી ઉભારવાનો વ્યાપક કાર્યક્રમ થશે. આ દિવસે મુંબઈમાં એક વિશાળ હિન્દુ શોભાયાત્રા કાઢવામાં આવશે. વડા પ્રધાને BJPની ૩૭૦ બેઠક મેળવવાનો સંકલ્પ કર્યો છે એને ધ્યાનમાં રાખીને મહાયુતિના મુંબઈના તમામ ઉમેદવારને વિજયી બનાવવા દરેક બૂથમાં ઓછામાં ઓછા ૩૭૦ મત વધારવાના પ્રયાસ કરવામાં આવશે. આ સિવાય ૧૭ એપ્રિલે રામનવમી, ૨૧ એપ્રિલે મહાવીર જયંતી અને ૨૩ એપ્રિલે આવતી હનુમાન જયંતી વખતે વિવિધ કાર્યક્રમોનું પણ મોટા પાયે આયોજન કરવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2024 08:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK