Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખંડણીના મામલા વધતાં મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસમાં ખંડણી વિરોધી સેલ બનાવવામાં આવ્યો

ખંડણીના મામલા વધતાં મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસમાં ખંડણી વિરોધી સેલ બનાવવામાં આવ્યો

Published : 30 January, 2025 01:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા રોડથી લઈને વિરાર સુધી ખંડણી માગવા કે વસૂલવા માટેના મામલાની નોંધ સ્થાનિક પોલીસ-સ્ટેશનને બદલે ખંડણી વિરોધી સેલમાં નોંધવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મીરા ભાઈંદર વસઈ વિરાર સ્વતંત્ર પોલીસ કમિશનરેટ બનાવ્યા બાદ હવે અહીં ખંડણી વિરોધી સેલ બનાવવામાં આવ્યો છે. ૨૦૦૨ની ૧ ઑક્ટોબરે સ્વતંત્ર મીરા ભાઈંદર વસઈ વિરાર પોલીસ કમિશનરેટ અસ્તિત્વમાં આવ્યું હતું, પરંતુ અહીં મુંબઈ અને થાણે પોલીસની જેમ ખંડણી વિરોધી સેલ અપૂરતા સ્ટાફને લીધે શરૂ કરવામાં નહોતો આવ્યો. હવે રાજ્યના ગૃહ વિભાગે અહીં પૂરતા પોલીસ-અધિકારી અને કર્મચારીઓની નિયુક્તિ કરી છે તેમ જ ગુપ્ત માહિતી મુજબ મીરા રોડથી વિરાર સુધીના ભાગમાં ખંડણી માગવાના મામલામાં વધારો થયો છે એને ધ્યાનમાં રાખીને કમિશનર મધુકર પાંડેએ ખંડણી વિરોધી સેલની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે એક પોલીસ-ઇન્સ્પેક્ટર, બે સબ-ઇન્સ્પેક્ટર અને ૧૨ પોલીસ-કર્મચારીની નિયુક્તિ કરવામાં આવી છે. કાશીમીરામાં ટ્રાફિક-પોલીસની બાજુમાં ખંડણી વિરોધી સેલની ઑફિસ તૈયાર કરવામાં આવી છે જે એકાદ અઠવાડિયામાં કાર્યરત થઈ જવાની શક્યતા છે. આ સેલ શરૂ થઈ ગયા બાદ મીરા રોડથી લઈને વિરાર સુધી ખંડણી માગવા કે વસૂલવા માટેના મામલાની નોંધ સ્થાનિક પોલીસ-સ્ટેશનને બદલે ખંડણી વિરોધી સેલમાં નોંધવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2025 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK