Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવતી કાલથી હાર્બર લાઇનમાં સીએસએમટીથી ગોરેગામ-વાશી-પનવેલ-બાંદરા વચ્ચે એસી લોકલ ટ્રેન

આવતી કાલથી હાર્બર લાઇનમાં સીએસએમટીથી ગોરેગામ-વાશી-પનવેલ-બાંદરા વચ્ચે એસી લોકલ ટ્રેન

Published : 02 January, 2022 10:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાન્સ-હાર્બર લાઇનમાં એસી ટ્રેનને ઓછો પ્રતિસાદ મળતાં આ રૂટમાં વાળવામાં આવી

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


સેન્ટ્રલ રેલવે દ્વારા હાર્બર લાઇનમાં પણ એસી લોકલ ટ્રેન દોડાવવાનો ગઈ કાલે નિર્ણય લેવામાં આવ્યો હતો. આવતી કાલથી સીએસએમટી એટલે કે વીટી સ્ટેશનથી ગોરેગામ-વાશી-પનવેલ અને બાંદરા સુધી ૧૬ સર્વિસ દોડાવવામાં આવશે. સોમવારથી શનિવાર સુધી આ લોકલ ટ્રેન એસી હશે, જ્યારે રવિવારે નૉન-એસી રહેશે.સેન્ટ્રલ રેલવેએ ગઈ કાલે જારી કરેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે સેન્ટ્રલ રેલવે દ્વારા મેઇન સેન્ટ્રલ અને ટ્રાન્સ-હાર્બર લાઇનમાં એસી લોકલ ટ્રેન દોડાવવાની શરૂઆત કર્યા બાદ હવે હાર્બર લાઇનમાં પણ એસી લોકલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાન્સ-હાર્બર લાઇનમાં અત્યારે દોડાવાતી ૧૬ એસી લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહેતી હોવાથી આ ટ્રેનોને આવતી કાલથી નૉન-એસી કરવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૨૧માં પણ દરરોજ ૫૩ પ્રવાસીઓની સરેરાશથી ફક્ત ૧૦૫૨ લોકોએ જ મુસાફરી કરી હતી. આથી ટ્રાન્સ-હાર્બર લાઇનમાં અત્યારે ચલાવાતી ૧૬ એસી સર્વિસને સીએસએમટીથી ગોરેગામ, વાશી, પનવેલ અને બાંદરા રૂટ પર વાળવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 January, 2022 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK