Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેમાં સ્કૂલ-બસમાં લાગી આગ : ડ્રાઇવરની સમયસૂચકતાને લીધે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા

પુણેમાં સ્કૂલ-બસમાં લાગી આગ : ડ્રાઇવરની સમયસૂચકતાને લીધે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા

Published : 06 December, 2024 09:55 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસ ઊભી રાખીને બાળકોને એમાંથી ઉતારી દીધાં હતાં જેને કારણે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા હતા.

આગની ઘટના

આગની ઘટના


પુણેમાં એક મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. એક સ્કૂલ-બસમાં આગ લાગતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસ ઊભી રાખીને બાળકોને એમાંથી ઉતારી દીધાં હતાં જેને કારણે ૧૫ વિદ્યાર્થીઓ બચી ગયા હતા.


બસમાં આગ લાગવાની આ ઘટના ગઈ કાલે પુણેના ખરડીના તુળજાભવાની નગરમાં બપોરે ૨.૪૫ વાગ્યે બની હતી. બસનો ડ્રાઇવર બાળકોને ઘરે પાછાં છોડી રહ્યાં હતો ત્યારે બસમાંથી ધુમાડો નીકળવા માંડતાં ડ્રાઇવરે તરત જ બસ ઊભી રાખી દીધી હતી અને વિદ્યાર્થીઓને બસમાંથી નીચે ઉતારીને દૂર લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે જોયું કે બસમાં આગ લાગી છે એટલે તેણે ફાયર-એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ ઓલવવાની કોશિશ કરી હતી, પણ સફળતા મળી નહોતી. એ પછી ફાયર-બ્રિગેડે પાણીનો જોરદાર મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આમ ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે ૧૫ બાળકોના જીવ બચી ગયા હતા.  


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2024 09:55 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK