Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કલ્યાણમાં ૬૭ વર્ષના પુરુષનું કોવિડને કારણે મોત થયું

કલ્યાણમાં ૬૭ વર્ષના પુરુષનું કોવિડને કારણે મોત થયું

Published : 29 May, 2025 10:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોરોના અપડેટ : મુંબઈમાં ગઈ કાલે નવા ૩૬ કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં કાલે નવા ૮૬ નોંધાયા, મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ ૩૮૩ હતા

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


કોવિડના કેસ ફરી માથું ઊંચકી રહ્યા છે ત્યારે ગઈ કાલે કલ્યાણના ૬૭ વર્ષના કોવિડ પૉઝિટિવ દરદીએ જીવ ગુમાવ્યો હતો. કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં બે દિવસમાં બીજા દરદીનું કોવિડને લીધે મૃત્યુ થયું છે.

કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં હેલ્થ ઑફિસર ડૉ. દીપા શુક્લાએ કહ્યું હતું કે ‘૬૭ વર્ષના દરદીને ૨૪ મેએ ડોમ્બિવલીની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. તેમની કોવિડ-ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ૧૨ વર્ષ પહેલાં આ દરદીને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો એટલે તેઓ પૅરેલાઇઝ્ડ હતા. તબિયત બગડતાં દરદીને કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસમાં જણાઈ આવ્યું હતું કે આ દરદીએ કોવિડની વૅક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો. દરદીનું હાયપરટેન્શન અને ડાયાબિટીઝ વધી જવાને લીધે આજે મૃત્યુ થયું હતું. આ વિસ્તારમાં અત્યાર સુધી કોવિડના આઠ મામલા નોંધાયા છે જેમાંથી બે દરદી પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ છે, ત્રણને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને એક દરદી હોમ ક્વૉરન્ટીન છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2025 10:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK