જે ગ્રાહકોએ પોતાનું બાકીનું પાણીનું બિલ જમા નહોતું કર્યું, તેમના પાણીના નળના કનેક્શન પહેલી એપ્રિલથી કાપી નાખવામાં આવ્યા છે.
પાણીકાપ (પ્રતીકાત્મક તસવીર)
જે ગ્રાહકોએ પોતાનું બાકીનું પાણીનું બિલ જમા નહોતું કર્યું, તેમના પાણીના નળના કનેક્શન પહેલી એપ્રિલથી કાપી નાખવામાં આવ્યા છે.
થાણે નગર નિગમના જળ પૂરવઠા વિભાગે પોતાના પાણી બિલના ઋણીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 4430 નળના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. પાણીના બિલનું પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. જે ગ્રાહકોએ પાણીનું બાકીનું બિલ ચૂકવ્યું નથી, તેમના કનેક્શન પહેલી એપ્રિલથી કાપી નાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
થાણે નગર નિગમને નાણાંકીય વર્ષ 2023-24માં કુલ 201 કરોડ રૂપિયા પાણીનું બાકીનું બિલ વસૂલવાની આશા છે. અત્યાર સુધી 114 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી ચૂકી છે.
પ્રશાસનિક શુલ્ક પર 100 ટકાની છૂટ
જે ઘરગથ્થૂ પાણીના કનેક્શન ધારકો પોતાનું બાકીનું જળ બિલ ચાલુ વર્ષના બિલની સાથે 31 માર્ચ 2024 સુધી જમા કરાવે, તેમને બાકીના બિલ પર પ્રશાસનિક શુલ્કમાંથી 100 ટકા છૂટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બીએમસીએ ભાંડુપ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સંરક્ષણ કાર્ય માટે 24 એપ્રિલ સુધી મુંબઈમાં 5 ટકા પાણી કાપની જાહેરાત કરી છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં 5 ટકાથી વધુ પાણી કાપ છે. બીએમસીમાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા રવિ રાજાએ કહ્યું કે, “મુંબઈવાસીઓ 12 મહિનાથી પાણી કાપનો સામનો કરી રહ્યા છે. જ્યારે બીએમસી 5 ટકા પાણી કાપની જાહેરાત કરે છે, ત્યારે મુંબઈકરોને 15 થી 20 ટકા અઘોષિત પાણી કાપનો સામનો કરવો પડે છે. આ એપ્રિલમાં છે. જૂન સુધી શું સ્થિતિ રહેશે તે વિચારવા જેવો પ્રશ્ન છે.”
બીએમસીને રિઝર્વ ક્વોટામાંથી પાણી મળ્યું
બીએમસી મુંબઈને દરરોજ 3850 MLD પાણી સપ્લાય કરે છે. ભાંડુપ ખાતે આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Water Cut) મુંબઈના વિવિધ ભાગોમાં પાણીનો સપ્લાય કરે છે. આ એશિયાનો સૌથી મોટો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તમને જણાવી દઈએ કે, બીએમસીએ 1 માર્ચથી જૂન સુધી મુંબઈમાં 10 ટકા પાણી ઘટાડવાની યોજના બનાવી હતી, પરંતુ બીએમસીની માગને સ્વીકારીને, રાજ્ય સરકારે બીએમસીને તેના અનામત ક્વોટામાંથી 10 ટકા વધારાનું પાણી આપવાનું શરૂ કર્યું, ત્યારબાદ બીએમસીએ 1 માર્ચથી મુંબઈમાં 10 ટકા પાણી કાપની યોજના રદ કરી દીધી હતી.
મુંબઈગરાઓ ગરમીથી પરેશાન
મહાનગરમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. મુંબઈગરાઓ દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રે પણ ગરમીથી પરેશાન છે. રવિવારે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, જે આ વર્ષે સૌથી વધુ લઘુત્તમ તાપમાન છે.
મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન અને રાત્રિના સમયે પણ તાપમાનમાં એકથી દોઢ ડિગ્રીનો વધારો નોંધાયો છે. શનિવારે મુંબઈનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. રવિવારે દિવસ દરમિયાન તાપમાન 36.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જે સામાન્ય કરતાં 3.3 ડિગ્રી વધુ હતું. લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધારે હતું. હવામાનશાસ્ત્રી રાજેશ કાપડિયાએ જણાવ્યું હતું કે, આગામી ગુરુવાર સુધી દિવસ દરમિયાન તાપમાન 35થી 36 ડિગ્રી અને રાત્રે 25થી 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આનો અર્થ એ થયો કે ગરમી અને ભેજના કારણે લોકોને દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે અસ્વસ્થતાનો અનુભવ થશે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. મુંબઈમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ હાલમાં વરસાદની કોઈ શક્યતા નથી.