Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક જ દિવસમાં દાદરમાં ટિકિટ વિનાના ૧૬૦૦થી વધુ મુસાફરો પકડાયા : અત્યાર સુધીનો રેકૉર્ડ

એક જ દિવસમાં દાદરમાં ટિકિટ વિનાના ૧૬૦૦થી વધુ મુસાફરો પકડાયા : અત્યાર સુધીનો રેકૉર્ડ

03 October, 2023 11:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૫ ટિકિટ-ચેકિંગ સ્ટાફ દાદર સ્ટેશન પર ઊભો રહ્યો હતો

દાદર સ્ટેશનની તસવીર

દાદર સ્ટેશનની તસવીર


ટિકિટ વિના મુસાફરી કરનારાઓની વેસ્ટર્ન રેલવેએ તપાસ કરીને શનિવારે એકલા દાદર સ્ટેશન પર એક જ દિવસમાં ૧૬૪૭ મુસાફરોને પકડ્યા હતા. આ ભારતીય રેલવેના કોઈ પણ સ્ટેશન પર ટિકિટ વિના મુસાફરી કરનારા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે.


‘ફોર્ટ્રેસ ચેક’ એક ઑપરેશન છે, જેમાં ટિકિટ-ચેકિંગ સ્ટાફ દ્વારા એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ્સ પર ટિકિટ વિનાના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવે છે. વેસ્ટર્ન રેલવેએ ‘મેરા ટિકિટ મેરા ઇમાન’ અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત તેમણે દાદર સ્ટેશને ચેકિંગ કર્યું હતું.



એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ‘૧૯૫ ટિકિટ-ચેકિંગ સ્ટાફ દાદર સ્ટેશન પર ઊભો રહ્યો હતો અને આખો દિવસ તપાસ ચાલી હતી. એમાં ૧૬૪૭ જેટલા મુસાફરો મળ્યા હતા અને તેમની પાસેથી કુલ ૪.૨૨ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.’


વેસ્ટર્ન રેલવેના દાદરમાં દરરોજ ઍવરેજ ૨૩૦ આવા મામલા સામે આવે છે. ચર્ચગેટથી દહાણુ સુધી ઍવરેજ ૭૬૨ કેસ આવે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે દાદરમાં પકડાયેલા લોકોની સંખ્યા દરરોજની ઍવરેજ કરતાં આશરે ડબલ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2023 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK