પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે 11 મેના રોજ ચુકાદો આપ્યો હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર હતી. ઇમરાન ખાનના સમર્થકો SCના ચુકાદા પછી 11 મેના રોજ ઉજવણી કરવા માટે પેશાવરની શેરીઓમાં ઉમટી પડ્યા હતા. ખાનના વકીલે કહ્યું કે કોર્ટે તમામ કાનૂની કાર્યવાહીને ઉલટાવી દીધી છે અને તે 12 મેના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટ સમક્ષ હાજર થશે. જમીન છેતરપિંડીના કેસમાં ખાનની ધરપકડથી સમગ્ર પાકિસ્તાનમાં ઘાતક અને વ્યાપક વિરોધ થયો હતો. ખાનની ધરપકડ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે પાકિસ્તાન સરકારે સેનાને બોલાવી હતી. ખાનના સમર્થકોની પોલીસ સાથે અથડામણ બાદ લગભગ 2,000 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઓછામાં ઓછા પાંચ માર્યા ગયા છે. PTI ચીફ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર રેન્જર્સ દ્વારા અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.