Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ૩૦૦થી વધારે બાળકોનાં મોત બાદ ડબ્લ્યુએચઓ કદાચ કફ-સિરપ્સ માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી શકે

૩૦૦થી વધારે બાળકોનાં મોત બાદ ડબ્લ્યુએચઓ કદાચ કફ-સિરપ્સ માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી શકે

25 January, 2023 10:15 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડબ્લ્યુએચઓ એ પણ તપાસ કરી રહ્યું છે કે આ કંપનીઓએ એકસરખા સપ્લાયર્સ પાસેથી જ રો-મટીરિયલ્સ મેળવ્યું હતું કે નહીં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વૉશિંગ્ટન : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા દૂષિત કફ-સિરપ્સના ઉત્પાદકો વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. આ દૂષિત કફ-સિરપ્સને કારણે જ ત્રણ દેશોમાં ૩૦૦થી વધારે બાળકોનાં મોત થયાં હોવાનું જણાવાયું છે.

આ કફ-સિરપ્સમાં ઝેરી તત્ત્વોનું અસ્વીકાર્ય પ્રમાણ રહેલું છે. તાજેતરમાં આ બાળકોનાં મોત માટે જવાબદાર દવાઓનું ઉત્પાદન કરનારી ભારત અને ઇન્ડોનેશિયાની છ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં ચોક્કસ રો-મટીરિયલ્સ વિશે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન માહિતી મેળવી રહ્યું છે. ડબ્લ્યુએચઓ એ પણ તપાસ કરી રહ્યું છે કે આ કંપનીઓએ એકસરખા સપ્લાયર્સ પાસેથી જ રો-મટીરિયલ્સ મેળવ્યું હતું કે નહીં. જોકે હજી સુધી ડબ્લ્યુએચઓએ કોઈ સપ્લાયરનું નામ આપ્યું નથી.  



ડબ્લ્યુએચઓ બાળકો માટે કફ-સિરપ્સના ઉપયોગનું પુનઃમૂલ્યાંકન કરવા માટે સમગ્ર દુનિયામાં પરિવારો માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી શકે છે. ડબ્લ્યુએચઓના એક્સપર્ટ્સ બાળકો માટે આવી પ્રોડક્ટ્સની મેડિકલી જરૂર છે કે નહીં એ નક્કી કરવા માટે પુરાવાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.  


ગેમ્બિયા, ઇન્ડોનેશિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મોત માટે કફ-સિરપ્સને જવાબદાર ગણાવવામાં આવી છે. આ કફ-સિરપ્સમાં ડાયઇથિલીન ગ્લાયકૉલ નામનું કૉમન ઝેરી તત્ત્વ છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 10:15 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK