Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલના સૌથી ભીષણ હુમલામાં ગાઝાપટ્ટીમાં ૩૦૦ લોકોએ ગુમાવ્યા જીવ, હમાસ તાબડતોબ વાતચીત માટે થયું તૈયાર

ઇઝરાયલના સૌથી ભીષણ હુમલામાં ગાઝાપટ્ટીમાં ૩૦૦ લોકોએ ગુમાવ્યા જીવ, હમાસ તાબડતોબ વાતચીત માટે થયું તૈયાર

Published : 18 May, 2025 01:01 PM | IST | Jerusalem
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇઝરાયલના જબરદસ્ત હુમલા બાદ હમાસ સીઝફાયર પર વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયું હતું. બન્ને દેશો વચ્ચે કતરમાં શનિવારે વાટાઘાટો શરૂ થઈ ગઈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇઝરાયલે ગાઝામાં ભયંકર હુમલા શરૂ કરી દીધા છે જેમાં બે દિવસમાં જ ૩૦૦થી વધુ લોકોના જીવ ગયા છે. શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયલના હુમલામાં ગાઝામાં ૬૪ લોકોના જીવ ગયા હતા. ત્યાર બાદ ઇઝરાયલે શનિવારે પણ જબરદસ્ત હુમલા કર્યા જેમાં ૧૫૦ લોકોના જીવ ગયા, જ્યારે ૪૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇઝરાયલના જબરદસ્ત હુમલા બાદ હમાસ સીઝફાયર પર વાતચીત કરવા માટે તૈયાર થઈ ગયું હતું. બન્ને દેશો વચ્ચે કતરમાં શનિવારે વાટાઘાટો શરૂ થઈ ગઈ. ઇઝરાયલના રક્ષાપ્રધાન ઇઝરાયલ કેટ્જે કહ્યું કે ‘હમાસે યુદ્ધ સમાપ્ત કર્યા વગર વાતચીત માટે ઇનકાર કરી દીધો હતો, પરંતુ જબરદસ્ત હવાઈ હુમલા બાદ હમાસના પ્રતિનિધિઓએ ચર્ચા કરવા પર સહમતી દર્શાવી છે.’

બીજી તરફ ઇઝરાયલની સેનાએ હમાસને હરાવવા અને ગાઝામાં બંધકોને મુક્ત કરાવવાના ઉદ્દેશથી એક મોટા હુમલાની જાહેરાત કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2025 01:01 PM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK