Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાની વિદેશપ્રધાન ઇસ્લામાબાદથી નીકળી ગયા, અમેરિકા સાથે સીધી વાતચીતનો કર્યો ઇનકાર

ઈરાની વિદેશપ્રધાન ઇસ્લામાબાદથી નીકળી ગયા, અમેરિકા સાથે સીધી વાતચીતનો કર્યો ઇનકાર

Published : 26 April, 2026 07:52 AM | IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અબ્બાસ અરાગચીએ ઈરાનની શરતો અને અમેરિકાની ડિમાન્ડ પર પોતાની આપત્તિઓની રજૂઆત પાકિસ્તાનને સોંપી: ટ્રમ્પે પ્રતિનિધિમંડળની ૧૮ કલાકની લાંબી યાત્રા રોકી દીધી

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચી શુક્રવારે ૩ દેશોની વિઝિટે નીકળ્યા હતા. શનિવારે તેઓ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હતા, પરંતુ અમેરિકાના અધિકારીઓને મળ્યા વિના જ ઇસ્લામાબાદથી નીકળી ગયા હતા. ઇસ્લામાબાદમાં અબ્બાસ અરાગચી પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ આસિમ મુનીર અને અન્ય અધિકારીઓને મળ્યા હતા. તેમણે અમેરિકા સાથે સીધી મંત્રણા કરવાનો ઇનકાર કરી દીધો હતો અને અમેરિકાની ડિમાન્ડ પર પોતાની આપત્તિઓના મુદ્દા અને ઈરાનની શરતો પાકિસ્તાનના મંત્રણાકારોને સોંપી દીધાં હતાં. 
અમેરિકા તરફથી શાંતિમંત્રણા માટે સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર ઇસ્લામાબાદ પહોંચવાના હતા, પરંતુ તેમની વિઝિટને રદ કરી દેવાની જાહેરાત ડોનલ્ડ ટ્રમ્પે કરી હતી. એક ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનેરની ૧૮ કલાકની લાંબી યાત્રા રોકી દીધી છે, કેમ કે એનો કોઈ ખાસ ફાયદો નહોતો. હાલમાં અમેરિકા મજબૂત સ્થિતિમાં છે. ઈરાન ઇચ્છે તો અમેરિકાનો સંપર્ક કરી શકે છે. અમેરિકાની ટીમ પાકિસ્તાન જઈને કોઈ પરિણામ વિનાની વાતચીતની રાહ નહીં જુએ.’  


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 07:52 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK