Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં ૧.૨૫ કરોડ ગેરકાયદે મતદારો

પશ્ચિમ બંગાળમાં ૧.૨૫ કરોડ ગેરકાયદે મતદારો

Published : 27 July, 2025 08:56 AM | Modified : 28 July, 2025 07:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BJPના સુવેન્દુ અધિકારીનો ચોંકાવનારો દાવો

સુવેન્દુ અધિકારી

સુવેન્દુ અધિકારી


પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ગઈ કાલે પૂર્બા મેદિનીપુર જિલ્લાના તમલુકમાં એક કાર્યક્રમને સંબોધતાં દાવો કર્યો હતો કે ‘પશ્ચિમ બંગાળની મતદારયાદીમાં ૧.૨૫ કરોડ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે અને તે બધાને યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્ટિવ રિવિઝન (SIR) પછી પાછા મોકલવામાં આવશે. જો બિહારમાં લગભગ ૫૦ લાખ નામો બાકાત રાખવામાં આવે તો બંગાળમાં આવાં ૧.૨૫ કરોડ નામો હોઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં બધા બંગલાદેશીઓ અને રોહિંગ્યાઓને SIR પછી પાછા ધકેલી દેવામાં આવશે. બંગલાદેશમાં ધાર્મિક અત્યાચારને કારણે સ્થળાંતર કરીને ભારત આવેલા હિન્દુઓએ આ કવાયત વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ વખતે મુખ્ય પ્રધાનને કોઈ બચાવી શકશે નહીં. બધી લૂંટફાટ અને ભ્રષ્ટાચારનો અંત આવશે. ખોટા મતદાનના કિસ્સાઓ ઘટશે. જે લોકો ખોટા મતદાન કરતા હતા તેમને બહાર કાઢવામાં આવશે.’

અધિકારીએ સરકારી અધિકારીઓને પ્રામાણિકતાથી કામ કરવા ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જે જિલ્લા સ્તરના અધિકારીઓ આમ કરવામાં નિષ્ફળ જશે તેઓ મુશ્કેલીમાં મુકાશે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK