Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાને બલૂચિસ્તાનના ૮૦ ટકા વિસ્તારનું નિયંત્રણ ગુમાવી દીધું, આર્મી પૅટ્રોલિંગ માટે આવતાં પણ ડરે છે

પાકિસ્તાને બલૂચિસ્તાનના ૮૦ ટકા વિસ્તારનું નિયંત્રણ ગુમાવી દીધું, આર્મી પૅટ્રોલિંગ માટે આવતાં પણ ડરે છે

Published : 18 May, 2025 12:03 PM | IST | Balochistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બલૂચ નેતા રઝાક બલૂચનો વિસ્ફોટક દાવો

બલૂચ નેતા રઝાક બલૂચ

બલૂચ નેતા રઝાક બલૂચ


બલૂચ નેતા રઝાક બલૂચે એક વિસ્ફોટક દાવો કરતાં જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓએ બલૂચિસ્તાનના ૮૦ ટકાથી વધુ ભાગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. એક ટીવી-ચૅનલ સાથેની મુલાકાતમાં બલૂચ અમેરિકન કૉન્ગ્રેસના સેક્રેટરી જનરલ રઝાક બલૂચે દાવો કર્યો હતો કે ‘પાકિસ્તાની દળો સાંજ પછી ક્વેટા છોડતાં ડરે છે. ચૂંટાયેલા પાકિસ્તાની અધિકારીઓએ પણ આ પરિસ્થિતિ સ્વીકારી છે અને સુરક્ષાના ડરને કારણે લશ્કર સાંજે પાંચ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી પૅટ્રોલિંગ કરવાનું ટાળે છે. બંગલાદેશ જેવી પરિસ્થિતિ બનવાની રાહ જોવા કરતાં પાકિસ્તાને સમયસર ગૌરવ સાથે બલૂચિસ્તાનમાંથી પાછા હટી જવું જોઈએ.’

આ મુદ્દે વધુમાં બોલતાં રઝાક બલૂચે કહ્યું હતું કે ‘પાકિસ્તાને ૭૦થી ૮૦ ટકા વિસ્તાર પર નિયંત્રણ ગુમાવી દીધું છે અને અમે ભારત અને અમેરિકાને બલૂચ સંઘર્ષને ટેકો આપવા વિનંતી કરી છે. જો ભારત અમને ટેકો આપે છે તો અમારા દરવાજા ખૂલી જશે.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2025 12:03 PM IST | Balochistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK