Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Morbi Tragedy: ઝૂલતા પૂલમાં મોતનું તાંડવ, મોતનો આંકડો 190એ પહોંચ્યો

Morbi Tragedy: ઝૂલતા પૂલમાં મોતનું તાંડવ, મોતનો આંકડો 190એ પહોંચ્યો

Published : 31 October, 2022 11:27 AM | IST | Morbi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મોરબી બ્રિજ અકસ્માત કેસમાં કેબલ બ્રિજ મેન્ટેનન્સ કંપની સામે FIR નોંધવામાં આવી છે. કંપની વિરુદ્ધ IPCની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

મોતનો આંકડો 190એ પહોંચ્યો

મોરબી ટ્રૅજેડી

મોતનો આંકડો 190એ પહોંચ્યો


મોરબી ઝૂલતો પૂલ તૂટવાની હ્રદય કંપની ઉઠી એવી ઘટના(Morbi Bridge Collapsed)થી ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. આ દુર્ઘટના કાળ બની કાલ સાંજે એટલે કે રવિવારે લોકો પર આવી પડી હતી, જેમાં અત્યાર સુધીમાં 190 લોકોના મોત થયા છે. જ્યારે કે ઘટના ઘટી ત્યારે આશરે 400 જેટલા લોકો ઝૂલ પર હતાં. હાલમાં બચાવકાર્ય શરૂ છે. 

મોરબી બ્રિજ અકસ્માત કેસમાં કેબલ બ્રિજ મેન્ટેનન્સ કંપની સામે FIR નોંધવામાં આવી છે. કંપની વિરુદ્ધ IPCની કલમ 304, 308 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 



ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સિંઘવી(Gujarat HM Harsh Sanghavi) ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે આર્મી, એરફોર્સ, નેવી અને એનડીઆરએફની ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. સાથે જ 108 ડોક્ટરોની ટીમ પણ સ્થળ પર તૈનાત છે.


ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે નેવી, એનડીઆરએફ, એરફોર્સ અને આર્મીના જવાનો બચાવ કાર્યમાં લાગેલા છે. લગભગ 200 લોકોની ટીમે આખી રાત કામ કર્યું હતું. આ મામલે ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. તેમજ આઈજીપી રેન્જના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 132 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.


મોરબીમાં થયેલા અકસ્માતને જોતા પીએમ મોદીએ તેમનો કાર્યક્રમ રદ કર્યો છે. વાસ્તવમાં પીએમ મોદી ગુજરાત અને રાજસ્થાનના ત્રણ દિવસના પ્રવાસે છે. અમદાવાદમાં સોમવારનો તેમનો રોડ શો અકસ્માતને કારણે રદ કરવામાં આવ્યો છે. ભાજપ ગુજરાત મીડિયા સેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનાર પેજ કમિટિનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. મીડિયા સંયોજક ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબીની દુર્ઘટનાને જોતા સોમવારે કોઈ કાર્યક્રમ થશે નહીં. જોકે, રૂ. 2,900 કરોડના રેલવે પ્રોજેક્ટને સમર્પિત કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી.

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે SDRFની બે ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. એક ટીમ રાજકોટથી અને બીજી ટીમ વડોદરાથી આવી છે. આ ઉપરાંત આર્મી, એરફોર્સ, ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ બચાવ કાર્યમાં લાગેલી છે.

 

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2022 11:27 AM IST | Morbi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK