Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતના આ અધિકારી પોતાને માને છે કલ્કિ અવતાર, 8 મહિનામાં 16 દિવસ ઑફિસે હાજરી આપી

ગુજરાતના આ અધિકારી પોતાને માને છે કલ્કિ અવતાર, 8 મહિનામાં 16 દિવસ ઑફિસે હાજરી આપી

Published : 19 May, 2021 09:26 PM | Modified : 19 May, 2021 09:27 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોતે પાંચમા ડાયમેન્શનમાં જઇને વૈશ્વિક ચેતના માટે તપસ્યા કરે તે અગત્યનું છે, ઑફિસ જઇને ટાઇમપાસ ન કરવો જોઇએ એવું આ અધિકારીનું માનવું છે. તેમણે પોતાના ઉપરીઓને કહ્યું કે વિષ્ણુ અવતાર હોવાથી ઑફિસ નહીં આવે.

રમેશચંદ્ર ફેરર - તસવીર -  ફેસબૂક એકાઉન્ટ

રમેશચંદ્ર ફેરર - તસવીર - ફેસબૂક એકાઉન્ટ


ગુજરાતમાં એક સરકારી અધિકારીએ તેમના ઉપરી અધિકારીઓને કહ્યું છે કે તે વિષ્ણુનો દસમો અવતાર એટલે કે કલ્કી અવતાર છે એટલે પોતે ઑફિસ નહીં આવી શકે. તેણે કહ્યું કે વૈશ્વિક કોન્શિયસ માટે આપણે પાંચમા સ્તરમાં એટલે કે ડાઇમેન્શનમાં પ્રવેશ કરીએ તે માટે પોતે તપશ્ચર્યા કરી રહ્યા છે. પીટીઆઇના એક રિપોર્ટ અનુસાર સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર રમેશ ચંદ્ર ફેરરને જ્યારે વડોદરા ઑફિસે હાજર ન થવા બદલ કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી ત્યારે તેમણે પોતાની ગેરહાજરીનું આવું કારણ આપ્યું હતું.


તેમણે છેલ્લા આઠ મહિનામાં માત્ર 16 દિવસ જ ઑફિસમાં હારી આપી છે. આવી બિનઅધિકૃત ગેરહાજરી ગેઝેટેડ ઑફિસને શોભે નહીં અને કામ પણ ખોટકાય, આ કારણો સાથે તેમને કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી.



ફેરારે રાજકોટમાં પોતાને મળવા આવેલા એક મીડિયાના પ્રતિનિધિને કહ્યું કે, “હું પાંચમા ડાઇમેન્શનમાં પ્રવેશીને ગ્લોબલ કોન્શિયસનેસ બદલવા માટે તપસ્યા કરી રહ્યો છું. હું આ તપસ્યા ઑફિસમાં બેસીને ન કરી શકું. ભારતમાં છેલ્લા 19 વર્ષથી સારો વરસાદ પડે છે કારણકે હું કલ્કીનો અવતાર છું.”


પોતાની જાતને વિષ્ણુનો અવતાર કહેનારા અધિકારી 50 વર્ષના છે. તેઓ કહે છે કે કોઇ માને કે ન માને પણ પોતે ખરેખર જ વિષ્ણુના દસમા અવતાર છે ને તે આગામી દિવસોમાં આવાતની સાબિતી પણ આપશે.  તેમને માર્ચ 2010માં  ઑફિસમાં બેઠા બેઠા આ બ્રહ્મ જ્ઞાન થયું હતું કે પોતે કલ્કીના અવતાર છે અને ત્યારથી તેમની પાસે ચમત્કારી શક્તિઓ આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો.  તેમણે પોતાના અધિકારીઓના તેમને ઑફિસ બોલાવવાના કારણને નકામું ગણાવી કહ્યું કે અધિકારીઓએ સમજવું જોઇએ કે શું વધારે અગત્યનું છે મારે ઑફિસમાં બેસીને ટાઇમપાસ કરવો કે પછી દેશને દુકાળથી બચાવવા માટે અગત્યનું કામ કરવું.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2021 09:27 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK