Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં તેલની દુકાનમાં લાગેલી આગે ૧૮ દુકાનો ભસ્મીભૂત કરી નાખી

અમદાવાદમાં તેલની દુકાનમાં લાગેલી આગે ૧૮ દુકાનો ભસ્મીભૂત કરી નાખી

Published : 03 December, 2025 07:52 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તરત કાબૂમાં ન આવી હોત તો પાસેની સોસાયટીમાં પણ આગ ફેલાઈ હોત

અમદાવાદના વિરાટનગરમાં લાગેલી આગને બુઝાવી રહેલા ફાયર-બ્રિગેડના જવાનો.

અમદાવાદના વિરાટનગરમાં લાગેલી આગને બુઝાવી રહેલા ફાયર-બ્રિગેડના જવાનો.


અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કૉમ્પ્લેક્સમાં ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ કૉમ્પ્લેક્સમાં શ્રી જયદીપ ઑઇલ ડેપોની બે દુકાનોમાં આગ લાગી હતી. દુકાનમાં પુષ્કળ માત્રામાં તેલ પડ્યું હોવાથી આગ ખૂબ ઝડપથી ભભૂકી ઊઠી હતી અને આસપાસની ૧૮ દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. આ કૉમ્પ્લેક્સને અડીને જ એક રેસિડેન્શિયલ સોસાયટીમાં પ્રવેશવાનો ગેટ આવેલો હોવાથી ત્યાંના રહેવાસીઓના જીવ પણ પડીકે બંધાઈ ગયા હતા. ફાયર-બ્રિગેડની ૨૪ ગાડીઓ અને ૭૦ કર્મચારીઓએ એક લાખ લીટરથી વધુ પાણી અને એક હજાર લીટર ફોમનો ઉપયોગ કરીને આગને દોઢ જ કલાકમાં કાબૂમાં લઈ લીધી હતી. કૉમ્પ્લેક્સની પાછળ આવેલી સોસાયટીનાં ૮ ઘરોને પણ આગને કારણે ડૅમેજ થયું હતું.

આગ ક્યાં અને કેવી રીતે લાગી એની તપાસમાં જાણવા મળ્યું હતું કે જે ઑઇલની દુકાનમાં આગ લાગી હતી એ ગેરકાનૂની રીતે કાર્યરત હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2025 07:52 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK