Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભાવનગર–સોમનાથ હાઇવે પર રાજુલા પાસેનો બ્રિજ ધરાશાયી

ભાવનગર–સોમનાથ હાઇવે પર રાજુલા પાસેનો બ્રિજ ધરાશાયી

03 March, 2023 08:20 AM IST | Bhavnagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌરાષ્ટ્રમાં ભાવનગર–સોમનાથ હાઇવે પર રાજુલા પાસે દાતરડી ગામ નજીક બની રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

Gujarat News

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)



અમદાવાદ ઃ સૌરાષ્ટ્રમાં ભાવનગર–સોમનાથ હાઇવે પર રાજુલા પાસે દાતરડી ગામ નજીક બની રહેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ 
થઈ નથી.
અમરેલીના રાજુલા પાસે આવેલા દાતરડી ગામ નજીક છેલ્લા કેટલાક સમયથી ભાવનગર-સોમનાથ હાઇવે પર નવો બ્રિજ બની રહ્યો છે અને એનું ૫૦ ટકા જેટલું કામ લગભગ પૂરું થઈ ગયું છે. આ બ્રિજનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન એકાએક બ્રિજનો એક ભાગ ધસી પડ્યો હતો. બ્રિજનું કામ કરી રહેલા કોઈ મજૂર કે અન્ય કોઈ વ્યક્તિને આ ઘટનામાં ઈજા થઇ નહોતી. જોકે અચાનક બ્રિજ તૂટી પડતાં હોબાળો મચી ગયો હતો. તૂટી પડેલા આ બ્રિજની વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2023 08:20 AM IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK