Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાધનપુરમાં મોતિયાના ઑપેરશન પછી સાત દરદીઓની આંખોનું તેજ ઘટી ગયું

રાધનપુરમાં મોતિયાના ઑપેરશન પછી સાત દરદીઓની આંખોનું તેજ ઘટી ગયું

09 February, 2024 09:40 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તજ્જ્ઞોની એક ટીમ રાધનપુર મોકલી છે અને ટીમે બાકીના દરદીઓની તપાસ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદ : ઉત્તર ગુજરાતના રાધનપુરમાં આવેલી સર્વોદય હૉસ્પિટલમાં મોતિયાના ઑપરેશન પછી સાત દરદીઓને આંખમાં તકલીફ થઈ છે. આ ૭ પૈકી પાંચ દરદીઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. દરદીઓની દૃષ્ટિમાં ખામી સર્જાતાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. રાધનપુરમાં આવેલી માણેકલાલ નાથાલાલ સર્વોદય હૉસ્પિટલમાં બીજી ફેબ્રુઆરીએ ૧૩ દરદીઓના મોતિયાનાં ઑપરેશન થયાં હતાં. કહેવાય છે કે ઑપરેશન બાદ દરદીઓને ઇન્ફેક્શન થતાં આંખે દેખાવાનું ઓછું થઈ ગયું હતું. મોતિયાના ઑપરેશન બાદ પાંચ દરદીઓની આંખમાં વધુ તકલીફ થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ દરદીઓની આંખમાં તકલીફ જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગે તજ્જ્ઞોની એક ટીમ રાધનપુર મોકલી છે અને ટીમે બાકીના દરદીઓની તપાસ કરી હતી. એટલું જ નહીં, રાધનપુરની સર્વોદય હૉસ્પિટલમાં ૨૦૨૪ની ૨૫ જાન્યુઆરીથી જેટલા કેસ થયા એની વિગતો આ ટીમે મેળવી છે, જેમાં ૪૭ દરદીઓનાં મોતિયાનાં ઑપરેશન  થયાં હતાં. તપાસ ટીમ વધુ તપાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 09:40 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK