Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદ : રિવરફ્રન્ટ પરથી મહેસાણાના પ્રેમી પંખીડાએ મોતની ડુબકી લગાવી

અમદાવાદ : રિવરફ્રન્ટ પરથી મહેસાણાના પ્રેમી પંખીડાએ મોતની ડુબકી લગાવી

25 March, 2019 02:47 PM IST | અમદાવાદ

અમદાવાદ : રિવરફ્રન્ટ પરથી મહેસાણાના પ્રેમી પંખીડાએ મોતની ડુબકી લગાવી

મૃતક પ્રેમી પંખિડા (PC : Google)

મૃતક પ્રેમી પંખિડા (PC : Google)


અમદાવાદ શહેર પ્રેમમાં નિષ્ફળ થયેલા પ્રેમી પંખીડાનો જીવન ટુંકાવવાનો કિસ્સો ફરી સામે આવ્યો છે. શહેરના રિવરફ્રન્ટ બ્રિજ પરથી સોમવારે વહેલી સવારે એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમીક તપાસમાં બંને પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે. પોલીસના કહેવા પ્રમાણે બંનેએ હાથમાં રૂમાલ બાંધ્યો હતો. આ કેસમાં હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

 




મૃત યુવકા ખિસ્સામાંથી મળ્યું આધાર કાર્ડ
શહેરના એનઆઇડી રિવરફ્રન્ટમાંથી સવારે મળેલા મૃતદેહમાંથી તપાસ કરતા પોલીસને મૃત યુવકના ખિસ્સામાંથી આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડ મળી આવ્યું હતું. તેના પરથી યુવકનું નામ કમલેશ કુમાર પરમાર સામે આવ્યું હતું અને મહેસા જિલ્લા વિજાપુરના ખણુસા ગામનો હોવાનું સામે આવ્યું છે. પ્રેમી પંખીડાની બોડી પાણીમાં વધારે સમય રહેવાને કારણે સફેદ થઇને થોથરાઇ ગયા છે. પોલીસના કહેવા પ્રમાણે આ યુવક અને યુવતીએ રાતે આપઘાત કર્યો હોવો જોઈએ. અત્યારે આ કેસમાં રિવરફ્રન્ટ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2019 02:47 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK