પાયલ તડવીના ફોન સાથે પણ ચેડાં કર્યાં હતાં આરોપીઓએ?
પાયલ તડવીના ફોન સાથે પણ ચેડાં કર્યાં હતાં આરોપીઓએ?
ડૉક્ટર પાયલ તડવીને આત્મહત્યા કરવાની ફરજ પાડનાર ત્રણ આરોપી ડૉક્ટરોએ તેમની વિરુદ્ધના પુરાવાનો નાશ કરવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા હોવાની શંકા તપાસકર્તા અધિકારીઓને છે. તપાસ અધિકારીઓને તાજેતરમાં એવી શંકા ગઈ હતી કે આરોપીઓએ ડૉ. તડવીના મૃતદેહ નજીક મળી આવેલી હસ્તલિખિત સુસાઇડ-નોટનો પણ નાશ કર્યો હતો, એટલું જ નહીં, તેમણે સુસાઇડ-નોટના તડવીના સેલફોનમાં લેવાયેલા ફોટો પણ ડિલીટ કરી નાખ્યા હતા. સુસાઇડ-નોટની આ ઇમેજ ડૉક્ટર પાયલ તડવીએ કાં તો આ ત્રણેય આરોપીને મોકલી હતી અથવા તો ડૉક્ટર હેમા આહુજાને મોકલી હતી એવું માનવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચે આ સંબંધી કેટલાક સવાલનો જવાબ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ) પાસે માગ્યા હતા અને આ સંબંધી એફએસએલએ હજી સુધી કોઈ વિગતવાર અહેવાલ મોકલ્યો નથી. ચાર્જશીટમાં અપાયેલો સુસાઇડ-નોટ પરનો પ્રાથમિક એફએસએલ રિપોર્ટ સૂચવે છે કે એનાં ડુપ્લિકેટ્સ પાયલના વનપ્લસ 6000 મોબાઇલ ફોનમાંથી રિકવર કરવામાં આવ્યાં છે.