વાયુ વાવાઝોડાની મુંબઈ પર પણ અસર
ચર્ચગેટ ન્યુ સ્ટેશન બિલ્ડિંગ પરથી ઍલ્યુમિનિયમ શીટ પડી હતી.
વાયુ વાવાઝોડાને કારણે ગઈ કાલે મુંબઈમાં પણ હવાનું પ્રમાણ હતું. જોકે એના કારણે ચર્ચગેટ રેલવે-સ્ટેશન પાસે લગાડેલી ઍલ્યુમિનિયમની શીટ રસ્તા પર જતા ૬૩ વર્ષના રાહદારી પર પડતાં ગંભીર રીતે જખમી થતાં તે મૃત્યુ પામ્યો હતો. આ દુર્ઘટનાની ચર્ચગેટ પોલીસે નોંધ લઈને તપાસ હાથ ધરી હતી જ્યારે કે રેલવે પોલીસ મરનારના પરિવારજનો ક્લેમ કરશે તો કાયદા પ્રમાણે આર્થિક મદદ કરશે. આ બિલ્ડિંગ પર ૨૦૧૭ના ઑક્ટોબર મહિનામાં રંગકામ પૂÊરું થયું હતું. આ બિલ્ડિંગ પર સામાજિક સંસ્થાના માધ્યમથી બ્રાઝિલના એક આર્ટિસ્ટે ૧૫ ફુટ લાંબું ગાંધીજીનું ચિત્ર બનાવ્યું હતું.
ચર્ચગેટ ન્યુ સ્ટેશન બિલ્ડિંગની ઈસ્ટ બાજુએ ૨.૪/૧.૨ એમ અને અને ૧.૨/૧.૨ એમ સાઇઝની શીટ બીજા અને ત્રીજા માળથી નીચે પડી હતી જેના કારણે એ વખતે ત્યાંથી પસાર થતh ૩ વ્યક્તિઓ જખમી થઈ હતી, જેમાંથી બે વ્યક્તિઓને મામૂલી જખમ આવ્યા હતા જ્યારે ૬૩ વર્ષના સિનિયર સિટિઝન મધુકર નાર્વેકરને વધુ જખમ આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : લાલા લજપતરાય રોડ પર ડેબ્રિસને કારણે કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો
આ બનાવ વિશે વેસ્ટર્ન રેલવે દ્વારા મળેલી માહિતી અનુસાર ‘જખમી થયેલા સિનિયર સિટિઝનને પાસે આવેલી જી. ટી. હૉસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમને હૉસ્પિટલે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બાદ તપાસ ધરવામાં આવી છે. તેમ જ પરિવાર ક્લેમ કરશે ત્યારે કાયદા પ્રમાણે એક્સ-ગ્રેશિયા પેમેન્ટ વેસ્ટર્ન રેલવે દ્વારા પરિવારને અપાશે.’