મકર સંક્રાન્તિથી ઉત્તર પ્રદેશમાં રસીકરણ શરૂ: યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથ
સમગ્ર દેશમાં કોરોનાની રસી ક્યારે અપાશે એ વાત હજી નક્કી નથી થઈ, પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહત્ત્વની જાહરાત કરી છે. યોગી આદિત્યનાથના જણાવ્યા પ્રમાણે આ મહિને જ મકર સંક્રાન્તિથી ઉત્તર પ્રદેશના લોકોને કોરોનાની વૅક્સિન આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી શકે છે. ગઈ કાલે ગોરખપુર જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં યોગી આદિત્યનાથે આ જાહેરાત કરી હતી.