Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લોખંડવાલાના વેપારીઓનો ભીડ કન્ટ્રોલ માટે અનોખો નિર્ણય

લોખંડવાલાના વેપારીઓનો ભીડ કન્ટ્રોલ માટે અનોખો નિર્ણય

10 November, 2020 04:29 PM IST | Mumbai
Gaurav Sarkar

લોખંડવાલાના વેપારીઓનો ભીડ કન્ટ્રોલ માટે અનોખો નિર્ણય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દાયકાઓ બાદ પહેલી વાર અંધેરીના લોખંડવાલા વ્યાપારી મંડળે આખી સ્ટ્રીટ પર દિવાળીથી ક્રિસમસ સુધી તહેવારોની ઝાંકી કરાવતી લાઇટિંગ ન કરવાનો નિર્ણય કરતાં આ વર્ષે અંધેરી લોખંડવાલા માર્કેટની દિવાળીમાં દર વર્ષની જેમ લાઇટિંગનો ઝગમગાટ જોવા નહીં મળે. કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખતાં તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવાના હેતુથી વેપારી મંડળે આ નિર્ણય લીધો છે. દુકાનદારો માટે લાઇટિંગ ગ્રાહકોને આકર્ષવા માટેનું મુખ્ય પરિબળ છે. જોકે મંડળના સભ્યો જણાવે છે કે કોરોના વાઇરસની મહામારીને કારણે તેમ જ ઑનલાઇન માર્કેટ સાથેની હરીફાઈને કારણે તેમની દુકાનોમાં ગ્રાહકોનું પ્રમાણ ઘણું ઓછું થયું હોવાથી લાઇટિંગ ન હોવાથી તેમની ગ્રાહકી પર વિશેષ અસર નહીં પડે.
મંડળના પ્રમુખ રાયચંદ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોના વાઇરસના પ્રસારને કારણે વેપારીઓની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી આ વર્ષે તેઓએ મંડળના સભ્ય એવા દુકાનદારો પાસેથી લાઇટિંગ કરવા માટે ડોનેશન પણ માગ્યું નથી. મંડળમાં ૨૫ કમિટી મેમ્બર્સ છે, જેમણે બજારમાં ગ્રાહકોની ભીડને ખાળવા માટે સર્વાનુમતે આ નિર્ણય લીધો છે.’
બજારમાં વાઇટ મૅજિક લૉન્ડ્રીના માલિક ૩૦ વર્ષના સલિમ ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ આજના સમયની માગ હોવાથી વેપારી મંડળે લીધેલો નિર્ણય ખૂબ જ યોગ્ય છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2020 04:29 PM IST | Mumbai | Gaurav Sarkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK