Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૯ દિવસની અમરનાથયાત્રામાં ૧૩૦ મોત

૩૯ દિવસની અમરનાથયાત્રામાં ૧૩૦ મોત

03 August, 2012 02:43 AM IST |

૩૯ દિવસની અમરનાથયાત્રામાં ૧૩૦ મોત

૩૯ દિવસની અમરનાથયાત્રામાં ૧૩૦ મોત


ગઈ કાલે ૧૦૦થી વધુ સાધુઓ છડી મુબારક લઈને ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર ગુફામાં પહોંચ્યા હતા. ૨૫ જૂનથી શરૂ થયેલી આ યાત્રા કુલ ૩૯ દિવસ ચાલી હતી. આ વર્ષની યાત્રા દરમ્યાન ૧૩૦ યાત્રાળુઓનાં મોત થયાં હતાં. એમાં ૮૮ યાત્રાળુઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૪૨ યાત્રાળુઓનાં રોડ-ઍક્સિડન્ટમાં મોત થયાં હતાં. કુદરતી કારણોસર મૃત્યુપામેલા યાત્રાળુઓમાં મોટા ભાગનાઓનાં હાર્ટ-અટૅકને કારણે મોત થયાં હતાં.

 



આ વર્ષની યાત્રામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓનાં મોતને પગલે સુપ્રીમ ર્કોટે ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર તથા રાજ્ય સરકારને તબીબી સારવારની સુવિધા વધારવાનો આદેશ આપ્યો હતો. ગઈ કાલે અમરનાથ ર્બોડના ચૅરમૅન અને જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન. એન. વોરાએ પવિત્ર ગુફામાં પૂજાવિધિ કરી હતી તથા રાજ્યમાં સુખશાંતિ જળવાઈ રહે એ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યપાલે યાત્રા દરમ્યાન મૃત્યુ પામેલા યાત્રાળુઓના આત્માને શાંતિ મળે એ માટે પણ પ્રાર્થના કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2012 02:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK